મોરબી સામખિયાળી નેશનલ હાઇવે પર માળિયા મીયાણા તાલુકાના હરીપર ગામની હદમાં દેવ સોલ્ટ પાસે જાણે અકસ્માતમાં ગોળાઈ વહેલી સવારે બે ટ્રક વચ્ચે જીવલેણ અકસ્માત બન્યો હતો જેમાં બે લોકોના કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા.
બનાવની જાણ થતા માળિયા 108ની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ગુન્હો નોધવા તપાસ હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ મોરબી-સામખિયાળી નેશનલ હાઈવે પર આવેલા માળિયા મિયાણાના હરીપર ગામ ની હદમાં દેવ સોલ્ટ પાસે વહેલી સવારે આર જે 9 જીડી ૬૪૬૩ નંબરના ટ્રકે પાછળથી જીજે ૩ બીવી ૯૯૯૮ નંબરની ટ્રકને ઠોકર મારતા ટ્રક ડીવાઈડર સાથે અથડાયો હતો બન્ને ટ્રક વચ્ચેનો ગમખ્વાર અકસ્માત જીવલેણ સાબિત થયો હતો. અને મૂળ એમપીના ધાર જિલ્લાના નરવીરસિંહ ઉ.વ 24 અને એમપીના ધાર જિલ્લાના વતની દિલીપભાઈ નામના યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રક બનાવની જાણ થતા મોરબી 108ની ટીમ તેમજ માળિયા મિયાણા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેના વિરુધ્દ ગુન્હો નોધિ તપાસ હાથ ધરી છે
આજે વિશ્વ યુવા કુશળતા દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી ઉત્તર બૂનિયાદી માધ્યમિક વિધાલય, જોધપર (નદી) ખાતે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ડિસ્ટ્રિક્ટ કો- ઓર્ડીનેટર મયુર સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસના મહત્વત વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આજના યુગમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું ન...
કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત છે.
હાલમાં પી.એમ.કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે. આમ મોરબી જિલ્લામાં પી.એમ.કિસાન યોજના અન્વયે ૧૯માં હપ્તાનો લાભ લેતા ૭૭,૮૯૨ માંથી...