મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા પરિવારે પોતાની પુત્રીનાં જન્મદિવસની ઉજવણી સાદાઈથી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.
સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપનારા દેરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા”ભુમીબેન ભાર્ગવભાઈ ઉઘરેજા” ની લાડકવાયી પુત્રી “પ્રિવા”ના ત્રીજા જન્મદિવસ નિમિત્તે રાસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો ને ભોજન કરાવીને કરવામાં આવી હતી.
સંગાથ વૃદ્ધાશ્રમ ના વડીલો અને સંચાલકો દ્વારા ઉઘરેજા પરિવારની પુત્રી”પ્રિવા”ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ની સરહાના કરવામાં હતી અને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....
આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામક, આયુષની કચેરી, ગાંધીનગરની સુચના તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં તા. ૨૩-૦૯-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી ૪:૦૦ દરમિયાન પટેલ સમાજ વાડી, બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ (આયુર્વેદ -હોમી. નિદાન સારવાર-કેમ્પ)"નું આયોજન...
મોરબી જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર, હળવદ રોડ, મોરબી ખાતે મોરબી તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી /...