મોરબીમાં ભૂગર્ભ નાં ઢાંકણા ની ક્વોલિટી પર ઉઠી રહ્યા છે વારંવાર સવાલો
મોરબી: મોરબી પાલિકા દ્વારા એકદમ નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવતા હોય શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઢાંકણા તૂટી જવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે ત્યારે સતત વાહનોની અવરજવર વાળા મોરબીના મુન નગર વિસ્તારમાં વારે ઘડીએ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે અને આ ઢાંકણાઓ તૂટી જતા ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં અનેક વાહન ચાલકો ખાબકતા અકસ્માતો સર્જાય છે અને લોકોના હાથ પગ તૂટી જવા સુધીનાં બનાવો બનવા પામ્યા છે ત્યારે આ વિસ્તારમાંથી લોકોની માગણી ઉઠી છે કે અહીંથી મુનનગર ચોક થી આગળ અને આજુબાજુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોય લોકો ની આવ જાવ માટે આ મુનનગર વિસ્તાર મુખ્ય રસ્તો હોય આ રસ્તા પર વારંવાર ભુગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા હોય આ સમસ્યાને ધ્યાનમાં રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં મોરબી પાલિકા દ્વારા મજબૂત અને સારી ગુણવત્તાવાળા ભૂગર્ભના ઢાંકણાઓ નાખવામા આવે અને આ મુખ્ય રસ્તા પર રાત્રે લાઈટો પણ ન હોય તો લાઈટો પણ નવી નાખવામાં આવે તેવી લોકો માંગણી ઉઠી છે
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 ની કલમ–264 અન્વયે સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવગણના તથા જોખમ યથાવત રહેતા, કલમ–268 અન્વયે હુકમ બહાર...
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા શહેરના જાહેરબાગ- બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા જાહેર સુવિધાનું સંરક્ષણ થાય તે માટે અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ દૂર કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં હરિયાળી જળવાઈ રહે તે માટે ગાર્ડનશાખા દ્વારા સમયાંતરે વૃક્ષોની સ્થિતિનું નિરીક્ષણ...
જો બિલ પસાર થશે તો ઉગ્ર લડત કરવાની ચેતવણી
ગુજરાત્ત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળના બંને પદાધિકારીએ અહેવાલ આપ્યો છે કે સમગ્ર ગુજરાત રાજ્યની સાતેય ઊર્જા કંપનીઓના જિલ્લા સ્તરે લાખો વીજ કર્મચારીઓએ આજે સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેઓ દ્વારા ચેતવણી આપી હતી કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન...