મોરબીમાં ભૂગર્ભ નાં ઢાંકણા ની ક્વોલિટી પર ઉઠી રહ્યા છે વારંવાર સવાલો
મોરબી: મોરબી પાલિકા દ્વારા એકદમ નબળી ગુણવત્તા વાળા ભુગર્ભ ગટરના ઢાંકણા નાખવામાં આવતા હોય શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ઢાંકણા તૂટી જવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે ત્યારે સતત વાહનોની અવરજવર વાળા મોરબીના મુન નગર વિસ્તારમાં વારે ઘડીએ ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી જવાની ઘટનાઓ સામે આવે છે અને આ ઢાંકણાઓ તૂટી જતા ખુલ્લી ભૂગર્ભ ગટરોમાં અનેક વાહન ચાલકો ખાબકતા અકસ્માતો સર્જાય છે અને લોકોના હાથ પગ તૂટી જવા સુધીનાં બનાવો બનવા પામ્યા છે ત્યારે આ વિસ્તારમાંથી લોકોની માગણી ઉઠી છે કે અહીંથી મુનનગર ચોક થી આગળ અને આજુબાજુ રહેણાંક સોસાયટીઓ આવેલી હોય લોકો ની આવ જાવ માટે આ મુનનગર વિસ્તાર મુખ્ય રસ્તો હોય આ રસ્તા પર વારંવાર ભુગર્ભ ગટરના ઢાંકણા તૂટી જતા હોય આ સમસ્યાને ધ્યાનમાં રાખી કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં મોરબી પાલિકા દ્વારા મજબૂત અને સારી ગુણવત્તાવાળા ભૂગર્ભના ઢાંકણાઓ નાખવામા આવે અને આ મુખ્ય રસ્તા પર રાત્રે લાઈટો પણ ન હોય તો લાઈટો પણ નવી નાખવામાં આવે તેવી લોકો માંગણી ઉઠી છે
શ્રાવણ માસની શરૂઆત થતા જુગારીઓ મેદાનમાં ઉતરી ગયા છે ત્યારે મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબીના ભરતપરા સર્કિટ હાઉસ સામે જાહેરમાં...
મોરબીના નાની વાવડી ખાતે દશામાના દર્શનાર્થે આવતા પદયાત્રી માઈ ભક્તોની સેવા અર્થે શ્રી યદુનંદન ગ્રુપ નાની વાવડી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ઠેર-ઠેર શહેરો અને ગામડાએથી ભાવિકો ઉમટી હજારોની સંખ્યામાં પગપાળા દર્શને જતા હોય છે અને આ પદયાત્રીઓની સેવામાં યદુનંદન ગ્રુપ દ્વારા રસ્તામાં કેમ્પનું આયોજન...
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/શ્રમિકોના પૂર્વ ઈતિહાસ, નાગરિકતા અને ઓળખ નક્કી થઈ શકે...