મોરબીઃ પ્રાથમિક શાળાના ના શિક્ષકની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગુજરાત બોર્ડમાં દ્રિતીય સ્થાન મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું
“મોર ના ઈંડા ચીતરવા ન પડે” આ કહેવત અહીં બંધ બેસે છે જી ..હા એક શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓના સારા પરિણામની અપેક્ષા રાખતા હોય છે પણ જયારે પોતાનાજ ઘરમાં એટલેકે પોતાના દીકરા દીકરી સારું પરિણામ લઈને આવે ત્યારે હર્ષની લાગણી નો આનંદ અલગ હોય છે મૂળ સરવડ ગામના અને હાલ મોરબી ન્યુ ચંદ્રેશ સોસાયટીમા રહેતા અને નાની વાવડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા સુનિલભાઈ પટેલ ની દીકરી વૈદેહી પટેલે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.98 PR 94.86% તેમજ Account 100/100 માર્ક્સ સાથે મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન અને ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી પરિવાર તેમજ સ્કૂલ નું ગૌરવ વધાર્યું છે
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય...
મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે રૂષભપાર્ક સોસાયટી ન્યુ ચંદ્રેશનગર ની બાજુમાં યદુનંદન રર ની પાછળ આવેલ છે સૌ...
સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને માહિતી મેળવે છે ત્યારે કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્ય સરકારના મુખ્ય ચુંટણી કમીશ્નરને લેખિત રજુઆત કરી S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની...