સખી મંડળોએ ૬૦ જેટલા સ્ટોલ રાખી વિવિધ વસ્તુઓ સાથે ૧૮ લાખથી વધુનું વેચાણ કર્યું
વંદે ગુજરાત અન્વયે મોરબી ખાતે યોજાયંલા સખી મેળાની સપ્તાહમાં ૪૭ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી અને સખી મંડળો દ્વારા ૧૮.૮૫ લાખ જેટલુ વેચાણ થયું.
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત પ્રદર્શન અને સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મોરબી જિલ્લામાં ૩૦ જૂનથી ૬ જુલાઇ દરમિયાન ૭ દિવસીય સખી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સખી મેળામાં (૫૨) બાવન વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ, ફુડ પ્રોડક્ટ, ગૃહસુશોભન, વણાટ કામની વસ્તુઓ, ઝુલા, ડ્રેસ મટીરીયલ, સાડી, બાંધણીના દુપટ્ટા, નાઈટ લેમ્પ, દોરીવર્કની બનાવટ, સીઝનેબલ મસાલા અને અથાણા જેવી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત ૮ જેટલા ફુડ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન ૪૭,૪૩૦ લોકોએ આ સખી મેળાની મુલાકાત લીધી હતી અને સખી મંડળો દ્વારા રૂ .૧૮,૮૪,૯૯૦ નું વેચાણ કરવામાં આવ્યું હતું
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સ (GDCR) - ૨૦૧૭ અને ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA) - ૨૦૨૨ હેઠળ હાલ ૧૯૭૧ના મંજુર અમલી વિકાસ યોજનામાં વિવિધ બાંધકામ અને વિકાસ સંબંધિત પરવાનગીઓ આપવાની પ્રક્રિયા હાલે અમલમાં છે. જેમાં આજ દિન સુધીમાં ડેવલપમેન્ટ પરવાનગી (Development Permission) ની ૬૦ તથા...
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં આવેલી જર્જરિત તથા જોખમી બાંધકામોને લઈને જાહેર સલામતીને ધ્યાનમાં રાખી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1949 ની કલમ–264 અન્વયે સંબંધિત મિલકત માલિકોને ત્રણ તબક્કામાં નોટિસ આપવામાં આવી હતી. નોટિસની અવગણના તથા જોખમ યથાવત રહેતા, કલમ–268 અન્વયે હુકમ બહાર...
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડનશાખા શહેરના જાહેરબાગ- બગીચાઓ તથા રહેણાંક વિસ્તારોમાં સમયાંતરે બિનજરૂરી વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, મોરબી મહાનગરપાલિકા જાહેર સુવિધાનું સંરક્ષણ થાય તે માટે અયોધ્યાપૂરી રોડ પર કોનાકાર્પસ વૃક્ષ દૂર કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા શહેરમાં હરિયાળી જળવાઈ રહે તે માટે ગાર્ડનશાખા દ્વારા સમયાંતરે વૃક્ષોની સ્થિતિનું નિરીક્ષણ...