છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ, ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે
મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વરિયા પ્રજાપતિ જ્ઞાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે. જેમાં સયુંકત પરિવારની પ્રથાને બચાવવાની થીમ ઉપર આ આખો કાર્યક્રમ યોજાશે અને આ છાત્ર સન્માન સમારોહમાં સયુંકત કુટુંબની તૂટતી પ્રથાને બચાવવા અનોખી પહેલ કરાઈ છે. જેમાં ત્રણ પેઢી એકસાથે રહી સયુંકત પરિવારની પરંપરા અખંડિત રાખનાર વડીલોનું પણ અદકેરું સન્માન કરાશે.
મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ વરિયા નગર ખાતે આવેલ વરિયા મંદિરે આવતીકાલે તા.24 જુનને શનિવારે સાંજે 7-30 કલાકે વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ અને વડીલ વંદના સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માત્ર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન પૂરતો જ સીમિત નહિ રહે. આ કાર્યક્રમમાં સયુંકત કુટુંબની પ્રથા બચાવવાનો મૂલ્યવાન સંદેશ આપવામાં આવશે. જેમાં આજકાલ થોડી ઘણી કુટુંબમાં કલેશ થાય તો પણ પરિવારનો માળો વિખાઈ જાય છે અને વિભક્ત કુટુંબ પ્રથા ખૂબ જ અમલી બની છે. જ્યાં જુઓ ત્યાં વિભક્ત કુટુંબ જ જોવા મળે છે. સયુંકત કુટુંબ તો ક્યાંક જ જોવા મળે છે. આજની તારીખે પણ જે ત્રણ ત્રણ પેઢી સાથે મોટો સયુંકત પરિવાર સાથે રહે છે તે વડીલોનું કુનેહ અને સૂઝબૂઝનું પરિણામ છે. આથી આવી ત્રણ ત્રણ પેઢીને એક તાંતણે બાંધીને સયુંકત પરિવારને જીવંત રાખનાર આદરણીય સમાજના વડીલોનું ગૌરવભેર સન્માન કરાશે. આવા 20 વધુ સયુંકત પરિવાર છે તેના વડીલીનું ઉષ્માભર્યું સન્માન કરાશે. આ ઉપરાંત 1થી કોલેજ સુધીના 80 તેજસ્વી સમાજના વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન કરાશે. સમાજના પ્રથમ સીએ બન્યા હોય તેનું અને ત્રણ ડોકટરોનું પણ સન્માન કરાશે. ખાસ સયુંકત પરિવારને બચાવવા માટે સુંદર મજાનું નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...