માતુશ્રી વીરબાઈમાઁની પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે
મોરબીના ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી સુંદરકાંડ, ધૂન-ભજન તથા મહાપ્રસાદનું આયોજન.
સંત શિરોમણી પ.પૂ. જલારામ બાપાના ધર્મ પત્નિ માતુશ્રી વીરબાઈમાઁની પૂણ્ય તિથી નિમિતે આવતીકાલ તા.૧૩-૧૧ -૨૦૨૫ ગુરુવાર કારતક વદ-૯ ના રોજ મોરબી જલારામ ધામ ખાતે ગંગારામભાઈ દેવચંદભાઈ કક્કડ (શ્રી હરી પરિવાર) ના સહયોગથી ત્રિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત સાંજે ૪ થી ૬ ધૂન-ભજન, સુંદર કાંડના પાઠ, પૂ.જલારામ બાપા તથા માતુશ્રી વીરબાઈ માઁ ની મહા આરતી ત્યાર બાદ મહાપ્રસાદ યોજવામાં આવશે.