આમ તો સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીનાં દિવા સપનાઓ બતાવી વાહ વાહ ખૂબ લૂંટી રહી છે પણ હકીકતમાં મોરબી નાં લગભગ ઉદ્યોગોના મોટા ભાગના રોડ અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ વાત કરીએ તો વાંકાનેર થી થાન જતા રોડ ની હાલત અત્યંત ખરાબ છે
વાકાનેર થી થાન રોડ પર ૨૦ થી વધુ ગામ આવેલ છે તેમજ અનેક સિરામિક અને સેનેટ્રી વેરનાં કારખાનાઓ આવેધ છે ત્યારે આ રોડ પર આવતા ગામના સંરપંચો દ્વારા કલેકટર, મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની સ્થિતીમા કોઈપણ જાતનો સુધાર આવ્યો નથી આજ પણ આ રોડ બિસ્માર હાલતમાં જ છે.
મળતી માહિતી મુજબ વાકાનેર થી થાન રોડ પર આવેલ વીશ ગામ આવેલ છે જે પૈકી આઠ થી દશ ગામના સંરપંચો દ્વારા વાકાનેર થી થાન જવાનો રોડ રીપેરીંગ કરવા માટે કલેકટર , મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા આ રોડ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી. વાંકાનેર થી થાન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રોડના કારણે અનેક વખતે અકસ્માતો સર્જાય છે. તેમજ આ રોડ પર ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેની સવાર સાંજ ૫૦૦ થી વધુ ગાડીઓ અવર જવર કરે છે તેમજ અન્ય હેવી લોડીંગ વાહનો પણ ચાલતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ખરાબ રોડ અને ટ્રાફિકના કારણે આ રાડ પર આવતા ગામના લોકો ક્યારેક બીમાર હોય તો સમયસર હોસ્પિટલે પણ પહોંચી શકતા નથી.
સરકાર કામ કરવા બેઠી છે કે જીવ લેવા તે લોકોને સમજાતું નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રોડ રીપેર કરવાનુ આઘુ રહ્યું પરંતુ રોડ પર ખાડાઓ બરી તેનું સમારકામ પણ કરતા નથી. જ્યારે ચુંટણી હોય ત્યારે જનતાની પરવાહ કરતા નેતાઓ અને સરકાર કેટલી લાપરવાહ છે તે તમે આ રોડની હાલત પરથી જોઈ શકો છો.
આ રોડ પર નાં ઉદ્યોગપતિઓ ને ફેકટરી આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી થી છે જો સરકાર આ ઉદ્યોગપતિઓ અને લોકોની મુશ્કેલી દૂર કરે અને પ્રાથમિક સુવિધાઓ આપે તો અને તોજ આવા વાઇબ્રન્ટ ગુજરાત મોરબી મોરબીનો ખરો અર્થ રહેશે નહીતો ફકત તાયફાઓ બની ને રહેશે તેવી એક ઉદ્યોગપતિએ ચક્રવાત ન્યુઝ ને વાત કરી હતી
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...