આમ તો સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબીનાં દિવા સપનાઓ બતાવી વાહ વાહ ખૂબ લૂંટી રહી છે પણ હકીકતમાં મોરબી નાં લગભગ ઉદ્યોગોના મોટા ભાગના રોડ અત્યંત ખરાબ હાલતમાં છે ખાસ વાત કરીએ તો વાંકાનેર થી થાન જતા રોડ ની હાલત અત્યંત ખરાબ છે
વાકાનેર થી થાન રોડ પર ૨૦ થી વધુ ગામ આવેલ છે તેમજ અનેક સિરામિક અને સેનેટ્રી વેરનાં કારખાનાઓ આવેધ છે ત્યારે આ રોડ પર આવતા ગામના સંરપંચો દ્વારા કલેકટર, મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરવા છતાં રોડની સ્થિતીમા કોઈપણ જાતનો સુધાર આવ્યો નથી આજ પણ આ રોડ બિસ્માર હાલતમાં જ છે.
મળતી માહિતી મુજબ વાકાનેર થી થાન રોડ પર આવેલ વીશ ગામ આવેલ છે જે પૈકી આઠ થી દશ ગામના સંરપંચો દ્વારા વાકાનેર થી થાન જવાનો રોડ રીપેરીંગ કરવા માટે કલેકટર , મામલતદાર તેમજ રાજ્ય સરકારને અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતા આ રોડ ને રીપેરીંગ કરવામાં આવ્યો નથી. વાંકાનેર થી થાન રોડ છેલ્લા બે વર્ષથી બિસ્માર હાલતમાં છે ખરાબ રોડના કારણે અનેક વખતે અકસ્માતો સર્જાય છે. તેમજ આ રોડ પર ઘણા બધા સિરામિકના કારખાનાઓ આવેલ છે જેની સવાર સાંજ ૫૦૦ થી વધુ ગાડીઓ અવર જવર કરે છે તેમજ અન્ય હેવી લોડીંગ વાહનો પણ ચાલતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને ખરાબ રોડ અને ટ્રાફિકના કારણે આ રાડ પર આવતા ગામના લોકો ક્યારેક બીમાર હોય તો સમયસર હોસ્પિટલે પણ પહોંચી શકતા નથી.
સરકાર કામ કરવા બેઠી છે કે જીવ લેવા તે લોકોને સમજાતું નથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી. રોડ રીપેર કરવાનુ આઘુ રહ્યું પરંતુ રોડ પર ખાડાઓ બરી તેનું સમારકામ પણ કરતા નથી. જ્યારે ચુંટણી હોય ત્યારે જનતાની પરવાહ કરતા નેતાઓ અને સરકાર કેટલી લાપરવાહ છે તે તમે આ રોડની હાલત પરથી જોઈ શકો છો.
આ રોડ પર નાં ઉદ્યોગપતિઓ ને ફેકટરી આવવા જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી થી છે જો સરકાર આ ઉદ્યોગપતિઓ અને લોકોની મુશ્કેલી દૂર કરે અને પ્રાથમિક સુવિધાઓ આપે તો અને તોજ આવા વાઇબ્રન્ટ ગુજરાત મોરબી મોરબીનો ખરો અર્થ રહેશે નહીતો ફકત તાયફાઓ બની ને રહેશે તેવી એક ઉદ્યોગપતિએ ચક્રવાત ન્યુઝ ને વાત કરી હતી
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...