વાંકાનેર વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણ
ભાજપના આગેવાન અને કોંગ્રેસના ચાલું તાલુકા સદસ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા
આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા ના વાંકાનેર વિધાનસભા રૂપાવટી ગામે પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી ની આગેવાની હેઠળ એક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોળી સમાજ અગ્રણી અને ભાજપ ના આગેવાન રણછોડભાઈ થુલેટિયા અને કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય વાલજીભાઈ ચૌહાણ ની સાથે રૂપાવટી ગામના ઉપસરપંચ ભાનુભાઈ સામંતભાઈ મેર,સુરેશભાઈ ગાંગડીયા
પરબતભાઇ હમીરભાઈ મેર,બાબુભાઇ કરમશીભાઈ ગાંગડીયા,વલ્લભભાઈ રામજીભાઈ મેર,ગેલાભાઈ રાજભાઈ બાવળિયા, વિજયભાઈ દેહાભાઈ ડાભી,સન્નાભાઈ બાવળીયા સવશીભાઈ ઝાલા,લાલજીભાઈ કાળાભાઈ,જેરામભાઈ વજાભાઈ ઝાલા,રસિકભાઈ ગાંગાણી,દેવાભાઈ દેવશીભાઈ ગાંગણી,નરશીભાઈ ગાંગડીયા,અરજનભાઈ ઝાલા (ચાલુ ગ્રામ પંચાયત સદસ્ય),સુખાભાઈ ગાંગાણી અને વકીલ ભૂતપભાઈ લુભાણી તથા રૂપાવટી ગામ ના લોકો આમ આદમી પાર્ટી ની વિચારધારા થી પ્રેરીત થઈ આમ આદમી પાર્ટીમાં જોડાયાં.
આ પ્રસંગે રાજુભાઇ કરપડા, કરશનબાપુ ભાદરકા, સાગરભાઈ રબારી , સંજયભાઈ બાપટ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, વાંકાનેર વિધાનસભા પ્રભારી પંકજભાઈ આદ્રોજા, વાંકાનેર તાલુકા પ્રમુખ અલી હજ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.