વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા અમુક ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે વાંકાનેરના કુંભારપરા શેરી નં-૩ મા સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો જાહેરમા જુગાર રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં રેઇડ કરવામાં આવી હતી ત્યારે રેઇડ કરતા હકીકત વાળી જગ્યા પર થી અમુક ઇસમો જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમના નામઠામ પૂછતા તેઓ
(૧)રમજાનઅલી પ્યારેઅલી પંજવાણી
(૨) મુસ્તુફાભાઇ રેમુશા શાહમદાર
(૩) મેહુલભાઈ વિનયચંદ મારૂ
(૪) અશોકભાઇ ધનજીભાઇ ધરજીયા
(૫) ફારૂખભાઈ બચુભાઈ ભટ્ટી ઉવ.
(૬)દિલીપભાઇ વ્રજલાલભાઈ કારીયા
(૭) રમેશભાઇ ઉર્ફે હકાભાઈ તેજાભાઈ ગોરીયા
(૮) સાગરભાઈ નાનુભાઈ ઉધરેજા
મળી આવ્યા હોઈ ત્યારે પોલીસ દ્વારા ૭ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે એક આરોપી નાશી ગયેલ હોઈ તેને પકડવાનો બાકી છે.ઉપરાંત પકડાયેલ જુગારીઓ પાસેથી રોકડ રકમ ૧૦,૫૫૦/- કબ્જે કરવામાં આવ્યા હતા
રજૂ થયેલા કેન્દ્રીય બજેટ માં મોરબી જિલ્લા ને કોઈ ફાયદો નહી! પણ ભાજપ પ્રમુખ કરશે વખાણ
ગઈ કાલે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કોઈ ખાસ લાભ મોરબી કે મોરબીના સિરામિક,ઘડિયાળ,કે અન્ય ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો થયો નથી છતાં દેવા તળે દબાયેલા જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા આવતી...
શહેરી ઘરવિહોણા લોકો માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજવામાં આવી હતી.
મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલ શ્રીસિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા સંચાલન કરવામાં આવે છે. ગત રાત્રીના...