Thursday, November 30, 2023

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામેથી ત્રણ દિવસથી લાપતા યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાથી પરિવારજનો દ્વારા બાબતે પોલીસને અરજી કરવામાં આવી હોય જેમાં આજે સવારે આ યુવાનનો તેના ઘર નજીક આવેલ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા(ઉ.વ. ૧૯) નામનો યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે કોઈ કહ્યા વગર નિકળી ગયો હોય જેથી બાબતે તેના મોટા ભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવી હતી, જે યુવાનનો આજે તેના ઘર પાછળ આવેલ 70 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર