મોરબીમાં સૌ પ્રથમ વખત વિંગ્સ આઇ.વી.એફ. હોસ્પિટલ દ્વારા ” IVF (ટેસ્ટ ટ્યુબ બેબી)” અંગે તેમજ “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી સકાય” જેવા વિષયો પર લોકોને માહિતગાર કરવા માટેનો સેમિનાર યોજાશે.
સૌરાષ્ટ્ર – કચ્છનું પ્રથમ નંબરનું એડવાન્સ અને આધુનિક આઇ.વી.એફ.(ટેસ્ટ ટ્યુબ બેબી) સેન્ટર ” વિંગ્સ આઇ.વી.એફ. દ્વારા મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત વ્યંધત્વથી પીડાતા દર્દીઓ માટે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓને IVF નિષ્ણાંત ગાયનેક ડૉ. સંજય આર.દેસાઈનું માર્ગદર્શન મેળવી શકશે.
આ સેમિનારમાં લાંબા સમયથી વ્યંધત્વથી પીડાતા દર્દીઓ , એકથી વધુ બાર IUI માં નિષ્ફળતા મેળવેલ દર્દીઓ, એકથી વધુ વાર ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર છતાં નિષ્ફળ રહ્યા હોઈ તેવા યુગલો, માસિક બંધ થઈ ગયું હોઈ તેવી સ્ત્રીઓને પણ વૈજ્ઞાનિક ધોરણે સંતાન પ્રાપ્તિ, મોટી ઉંમર કે નીચા AMHમાં પણ પોતાના જ સ્ત્રી બીજ ઉપર મહત્વ જેવા વિષયો પર IVF નિષ્ણાંત ડૉ. સંજય આર. દેશાઈ(MD ગાયનેક) દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત સૌરાષ્ટ્રની લીડિંગ હોસ્પિટલ પાયલ મેટરનિટી હોમ ના નિષ્ણાંત ડૉ. અમિત અકબરી દ્વારા “એડવાન્સ ટેકનોલોજી અને મોડર્ન હોસ્પિટલ” અંગે લોકોને માહિતગાર કરવામાં આવશે.
તેમજ ગુજરાતના એડવાન્સ અને આધુનિક આયુર્વેદા સેન્ટર “રેડસ્ટોન આયુર્વેદ સેન્ટર” ના નિષ્ણાંત ડૉ. પ્રતીક્ષા દેસાઈ દ્વારા “સ્માર્ટ આયુર્વેદ સાથે સ્વસ્થ કઈ રીતે રહી શકાય” તે અંગે માહિતગાર કરવામાં આવશે.
આ સેમિનારમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો અને ફોર્મ ભરી નિષ્ણાંત ડોક્ટરના માર્ગદર્શન નો લાભ મેળવો. https://docs.google.com/forms/d/e/1FAIpQLSf0Q6dflU3Jdko9WZ6ZiGWvBQhmagsj381pSSNBSbz45_eyQA/viewform?usp=sf_link
સેમિનારની તારીખ અને સ્થળ :-
તારીખ :- ૩૧/૦૭/૨૦૨૨
સમય :- સાંજે ૪ થી ૬
સ્થળ :- સંસ્કાર ઇમેજીંગ સેન્ટર એન્ડ સંસ્કાર બ્લડ બેંક, સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર પાછળ, જીઆઈડીસી મેઇન રોડ, શનાળા રોડ મોરબી :- ૩૬૩૬૪૧
વધારે માહિતી માટે :
વિંગ્સ આઈ. વી. એફ. હોસ્પિટલ – +917878877222
પાયલ મેટરનિટી હોમ – +918460044502 / +918905150606
રેડસ્ટોન આયુર્વેદા સેન્ટર – +917575001073
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...
હળવદ તાલુકામાં મોટું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ભેજાબાજોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકર્ડ ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનુ બનાવટી રેકર્ડ ઉભું કરી સરકારી જમીન પચાવી પાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર...
શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝીયોથેરાપી ક્લિનિક, મોરબી દ્વારા મફત ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આશરે ૩૦ જેટલા દર્દીઓએ લાભ મેળવ્યો હતો, જેમાં વિવિધ પ્રકારની ફિઝીયોથેરાપી સંબંધિત સમસ્યાઓ માટે નિદાન, સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ફિઝીયોથેરાપી કેમ્પનું નેતૃત્વ ડૉ. હિરલ જાદવાની,...