આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા
આજે મોરબી જિલ્લાના ૧૭ સેન્ટરો પર ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા, ૫૦૯ વિદ્યાર્થીઓ રહ્યા ગેરહાજર
આજ રોજ જવાહર નવોદયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં ૩૫૪૬ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે મોરબી જિલ્લા માંથી રજીસ્ટ્રેશન કર્યું હતું. જેમાંથી ૩૦૩૭ વિદ્યાર્થીઓએ આપી નવોદયની પરીક્ષા, ૫૦૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર પરીક્ષા સફળ બનાવવા નવોદય સ્કૂલ મોરબીના પ્રિન્સિપાલ રવીન્દ્રકુમાર બોરોલ તથા પરીક્ષાના ઇન્ચાર્જ નિલેશકુમાર કાંજીયા દ્વારા સફળ આયોજન પાર પાડવામાં આવ્યું હતું. આ સાથે તમામ સ્ટાફની કામગીરીની પ્રશંસા કરી પરીક્ષાના ઇન્ચાર્જ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.