તાજેતર માં રાજ્ય સરકાર દ્વારા બીજા કોઈ ની જમીન પચાવી પાડનારરા જમીન માફિયાઓને ઝેર કરવા ઘડી કાઢેલા ખાસ લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ પાછલા દિવસો માં સમગ્ર હળવદ પંથક માં લેન્ડ ગ્રેબિંગ ના કેસ માં દિન પ્રતિદિન વધારો થઈ રહયો છે ત્યારે હળવદ ના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન ને સાંથણી માં અપાયેલી જમીન ખાલસા થઇ ગઇ હોવા છતાં આ જમીન ઉપર કબજો કરનાર ત્રણ શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ ની ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ખેતરડી ગામે નિવૃત આર્મીમેન અંબિકા પ્રસાદ ત્રિવેદીને સરકાર દ્વારા 1976માં સાંથણી માં ખેતરડી ગામ ની સીમ સરવે નંબર 183 પૈકીની જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી હતી જોકે આ જમીન અંબિકા પ્રસાદ ત્રિવેદીને શેઢા પાડોશી ને વાવવા માટે આપ્યા બાદ સરકાર દ્વારા આ જમીન ખાલસા કરવામાં આવી હતી જે જમીન પરત મેળવવા અંબિકા પ્રસાદ ના ભાણેજ એવા રવિભાઈ એ કલેક્ટરનું અપીલ કરી હોય અને કેસ ચાલતો હોય તેઓ જમીન ઉપર ગયા હતા ગયા હતા ત્યારે આરોપી મૈયાભાઈ પેથાભાઈ ભરવાડ, જગા ભાઈ વહાભાઈ ભરવાડ, તથા લાલાભાઈ વીરાભાઇ ભરવાડે આ જમીનમાં લીંબુનું વાવેતર કરેલ હતું જ્યારે આ જમીન ખાલી કરવાનું જણાવતા આરોપીઓ એ ધમકી આપતા અને અહીંયા ફરીથી નહીં આવવાની ધમકી આપી હતી છે જેને પગલે આ જમીનનું કુલમુખત્યારનામું ધરાવતા રવિભાઈ એ આ અંગે અરજી કરતાં કરતાં હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર અધિનિયમ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. રિપોર્ટ – રવી પરીખ હળવદ
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...