મોરબી: ગુજરાત સરકાર પ્રેરિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી , કચ્છ-ભુજ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો પ્રવાસી કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાનું સિલેક્શન થયેલ છે. મોરબી માંથી માત્ર ૩ સ્ટુડન્ટ સિલેક્ટ થયા જે તમામ નવયુગના સ્ટુડન્ટ્સ છે.
આ પ્રોગામમાં સિલેક્ટ થવાની લાયકાતમાં NCC અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે.
આ સમગ્ર કાર્યક્રમ ૧૧ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના ૪૫ જેટલા સ્થળોની મુલાકાત કરેલ જેવાકે કચ્છનું મ્યુઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણૉ ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા. આ કાર્યક્રમનો તમામ ખર્ચ સરકાર આપે છે.
આ કાર્યક્રમમાં સિલેક્ટ થવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ સ્ટુડન્ટ્સને અભિનંદન પાઠવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા રજીસ્ટ્રેશન ડ્રાઈવ યોજી હતી, જેમાં મોરબીના ગાંધીચોક, સનાળારોડ, બસ સ્ટેન્ડ, નહેરુ ગેટ સહિત ના વિસ્તારો માં ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા સામાન્ય ફૂડ ચકાસણી તથા ફૂડ લાઇસન્સ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી દરમિયાન મોરબી મહાનગર પાલિકા દ્વારા નીચે મુજબ ના દુકાન ધારકો...
મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા વર્ષ 2025-26 અંતર્ગત વિવિધ પ્રકારનું ટેક્સ નું બાકી ઉઘરાણું બાકીદારો પાસે થી વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત મિલકત વેરા શાખા ના કર્મચારી ઓ શહેર માં ઠેર ઠેર હાલ જે મિલકત આસામી ઓ દ્વારા વેરો ભરપાઈ કરવામાં ન આવ્યો...
મોરબી મહાનગરપાલિકાની જન્મ મરણ શાખા દ્વારા હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે જન્મ મરણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા સી.આર.એસ. પોર્ટલ મારફતે ડીજીટલ જન્મ મરણ પ્રમાણપત્ર આપવામા આવે છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧/૯/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ૫૯૮૧ જન્મ પ્રમાણપત્ર...