મૂળ માળિયા તાલુકાના મેઘપર ગામના વતની અને હાલ જુનાગઢ P.T.Cમાં SRP જવાન તરીકે ફરજ બજાવતા બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયાએ આપઘાત કરી લીધો હોય જે આપઘાતના બનાવમાં પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મૃતકને ઢોર માર મારવામાં આવ્યો હોય અને મરવા માટે મજબુર કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યા છે.
બ્રિજેશભાઈ લાવડીયાના પરિવારજનોના મતે બ્રિજેશભાઈના મૃતદેહના પોસ્ટમોર્ટમ સમયે તેમના શરી૨ ઉ૫૨ અનેક નિશાન જોવા મળ્યા હતા.તેમ છતા જૂનાગઢ SP આ મામલે તપાસમાં વિલંબ કરે છે.આ ઘટનાને લઈ સમગ્ર આહિર સમાજમાં રોષની લાગણી હાલ જોવા મળી છે. આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીને ઝડપી તેમની વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી દોષીતોને સજા આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
જેને પગલે મોરબીમાં આહીર સમાજ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજાશે. મોરબી જીલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસ, હરી ચેમ્બર, શિવમ પેટ્રોલીયમની બાજુમાં મોરબી-માળીયા નેશનલ હાઇવે ખાતે આજે 28-03-2023ના રોજ સાંજે 03:30થી 05:00 વાગ્યા દરમિયાન યોજાનાર આ પરિષદમાં બ્રિજેશભાઈને ન્યાય આપવા માટેની રજૂઆત કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...