ટંકારા: ટંકારામાં હિન્દુ સમાજ દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જે ટંકારાના મુખ્ય માર્ગો પર ફરી હતી.
આજે રામનવમીના પાવન પર્વે ટંકારામાં દેરીનાકા રોડ, મેઇન બજાર, દેરાસર રોડ, ત્રણ હાટડી શેરી, લોવાસ, ગાયત્રીનગર, સહીત તમામ બજારો શેરીઓ કેસરી ધજાપતાકા તથા કમાનોથી શણગારવામાં આવ્યા હતા દયાનંદ ચોકમાં રોશની કમાનો તથા વિશાળ બેનરો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી આ શોભાયાત્રામાં ધ્રુવનગર રાજવી પરિવારના આનંદ રાજા, ટંકારા તાલુકાના સરપંચ, આગેવાનો, ઉપદેશક, તેમજ સમસ્ત હિંદુ સમાજના લોકો કેસરી સાફો અને કેસરી ધજા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ટંકારાના વેપારીઓએ સ્વૈચ્છિક પોતાના વેપાર દુકાનો બંધ રાખી શોભાયાત્રામાં જોડાયા હતા. તેમજ આ શોભાયાત્રાનું ઠેર ઠેર ઠંડા પીણા, દૂધ કોલ્ડ ડ્રિંક્સ, છાસથી સ્વાગત કરાયેલ.ત્રણ હાટડી શેરીમાં રહેવાસીઓએ શોભાયાત્રાના રૂટમાં રંગોળીઓ બનાવી તથા અગાસીમાંથી બહેનો દ્વારા ગુલાબની ફૂલના પાંદડીઓ વરસાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દયાનંદ ચોકમાં યુવાનોએ, બહેનોએ રાસ લીધો હતો. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને દહીં તથા પંજરીની પ્રસાદી વિતરણ કરાઈ હતી.
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...