શિક્ષણ જગત માં હર હંમેશ નવું આપનાર નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થીઓ માટે એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ કંપની ની મુલાકાત નું આયોજન કરવામાં આવ્યું.
વૈશ્વિક જરુરિયાત મુજબ નાના શહેર માંથી આવતા વિદ્યાર્થીઓને મેટ્રો શહેર થી પણ ચડિયાતું શિક્ષણ આપી ઘડતર કરવું એ જ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. પુસ્તકના નોલેજની સાથે સાથે ધો. 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર આપણી નીલકંઠ કોમર્સ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ ની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી
કંપની વિઝીટ થકી વિદ્યાર્થીઓ ને કંપની ની સ્થાપના, કાર્યપદ્ધતિ, સક્સેસ સ્ટોરી, મેનેજમેન્ટ, ઉત્પાદન, માર્કેટિંગ વગેરે આયામો થી માહિતગાર કરવામાં આવે છે, જેથી તેમના વિચારો ને નવી દિશા મળે અને પોતાના સપના ઓ સાકાર કરવામાં મદદરૂપ થાય.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ એક નમકીન માં અગ્રેસર કંપની છે. જે અનેક પ્રકાર ના નમકીન બનાવવા માટે વિખ્યાત છે. તે પોતાની પ્રોડક્ટ ની સાથે સાથે વિશ્વ વિખ્યાત હલદિરામ અને પેપ્સી કંપની ની પ્રોડક્ટ પણ બનાવે છે. જે એક ગર્વ લેવા જેવી બાબત ગણી શકાય.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડના હોદ્દેદારો દ્વારા વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિ થી માહિતગાર કરાવવામાં આવ્યા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી.
એટોપ ફૂડ પ્રોડક્ટ પ્રાઇવેટ લમિટેડ અને હલદીરામ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લમિટેડ નું જોઇન્ટ વેન્ચર છે. તેથી જોઇન્ટ વેન્ચર એટલે શું તેના વિશે વિધાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...