બગથળા : કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હરું.આ કેમ્પમાં રાહતદરે સેવાઓ આપવામાં આવી હતી.કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કર્મયોગી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનાઇટેડ કેર હોસ્પિટલ રાજકોટ અને નકલંક મંદિર બગથળાના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન બગથળા કુમાર શાળામાં ગત તા.3ના રોજ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં બગથળા ગામના મુળ વતની ડૉ.જીગ્નેશ મેવા કેન્સર સર્જન,ડૉ.વિશાલ મેવા (ફિઝિશિયન આઇ સી યુ નિષ્ણાત),ન્યુરોસર્જન ડો.નિધિ કુમાર પટેલ,ઓર્થોપેડિક ડો.એન.બી.પટેલ,લેપ્રોસ્કોપીક સર્જન ડો.એસ.એન.પટેલ,આંખના નિષ્ણાંત ડો. હાર્દિક પટેલ.ઈ એન ટી સર્જન ડો.અલ્પેશ પટેલ ,ડો.ડેનિસ આરદેશના,બાળકોના નિષ્ણાત ડો.શ્રદ્ધા હાલપરા,ડો. સતીશ સાણજા ડો. ધર્મેશ ઝાલાવાડીયા,ફિજીઓથેરાપિસ્ટ ડો. પાયલ સરધારા ,ડો.ઉર્વશી કાનાણીએ માનદ સેવા આપી હતી.આ કેમ્પમાં 250 દર્દીઓએ સ્વાસ્થ્ય સેવાનો લાભ લીધો હતો.બગથળા નકલંગ મંદિરના મહંત દામજી ભગતએ દીપ પ્રાગટ્ય કરી આશીર્વચન આપી કેમ્પનું ઉદઘાટન કર્યું હતું.બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો.હિરેન વાસદડિયા અને જિલ્લા સદસ્ય સતીશ મેરજા અને આચાર્ય દિનકરભાઇ મેવાએ આ કેમ્પની કામગીરી દરમ્યાન વ્યવસ્થામાં મદદરૂપ થયેલ હતા.યુનાઇટેડ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દરેક પ્રકારની ઉચ્ચ કોટિની આરોગ્ય સેવાઓ રાહત ભાવે આપે છે.તેમજ સમાજની સ્વાસ્થ્ય સેવા માટે હોસ્પિટલ હંમેશ સમર્પિત રહે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...