ભારત વિકાસ પરિષદ,સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની વિવિધ શહેરોની 14 શાખાઓ વચ્ચે મોરબી સરસ્વતી શીશુમંદિર ખાતે રવિવાર દીનાંક 25 ડિસેમ્બરના રોજ ભારતીય સંસ્કૃતિ,પરંપરા ના સંવર્ધન અને જાણવણી તથા આવનાર પેઢી ને આપણી પરંપરા – સંસ્કૃતિનું મહત્વ સમજાય તે હેતુથી લગ્નગીતોત્સવનું આયોજન કરવામાં આવેલ.
સવારથી વિવિધ શાખાઓમાંથી પધારેલ બહેનો અને પરિવારની હાજરીમાં લગ્ન ગીત સ્પર્ધા ભારતમાતા પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ કરવામાં આવ્યો. આ તકે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, અગ્રણી સમાજ સેવિકા મંજુલાબેન દેત્રોજા , ભા. વિ. પ. ના ટ્રસ્ટી ડો. તેજસભાઇ પૂજારા, પ્રાંત અધ્યક્ષ વિરલબેન પારેખ, પ્રાંત સચિવ જાગૃતિબેન ઠક્કર, પ્રાંત ખજાનચી પિયુષભાઈ ઠક્કર , સહિતના અધિકારીઓતથા અગ્રગણ્ય નાગરિકો, ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
લગ્નની અલગ અલગ વિધિઓની થીમ પર દરેક શાખા દ્વારા એક ગીત રજૂ કરવામાં આવેલ છે. પ્રારંભ ગણેશ સ્થાપન, કંકોત્રી વધાવો, મામેરું, સાંજી, પીઠી, જાન પ્રસ્થાન, જાન આગમન, મંગળફેરા, ફટાણા, વિદાય પ્રસંગ, આમ વિવિધ 16 પ્રકારની વિધિઓના લગ્ન ગીતોની સ્પર્ધા યોજવામાં આવેલ…આ લગ્ન પ્રસંગના વિવિધ ગીતો પરની ખુબજ સુંદર આ સ્પર્ધા ખુબજ રસાકસી ભરી રહી… જાણે ખરેખર લગ્ન પ્રસંગ જ હોઈ તેવો અદભુત માહોલ સર્જાયો હતો. દરેક શાખાના બહેનોએ ઉત્સાહ પૂર્વક વિધિ અનુસાર તૈયાર થઈ વિવિધ વિધિઓ નો તાદૃશ માહોલ ઉભો કરેલ. આ લગ્નગીતોત્સવ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબીના ગીત સંગીતના તજજ્ઞ એવા અશ્વિનભાઈ બરાસરા, મયુરીબેન કોટેચા, તુષારભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...