ખોખરા હનુમાન ધામ ખાતે શ્રી રામ કથાનું રસપાન કરતા ભક્તો


કથાના વક્તા માં કનકેશ્વરીદેવીના શ્રી મુખે આજે ભક્તોએ કથાનું રસપાન કર્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે
👉 કથા સાંભળવાથી ધર્મનિષ્ઠા જાગે છે.
👉 અંતઃકરણની અવસ્થા ધર્મમયી બને ત્યારે રામ પ્રગટે.
👉 અંતઃકરણમાં અયોધ્યાનું નિર્માણ સદગુરુ કરે છે ત્યારે રામ પ્રગટ થાય છે.
👉 સૌથી મોટુ દાન સદવિચાર નું દાન છે.
👉 સાધુ સંતો વ્યવસ્થા થી પ્રભાવિત નથી કરતા તેમની ચિત્તની અવસ્થાથી પ્રભાવિત થવાય છે.
👉મનના મૌનમાંથી નીકળતી ધારા રામકથા છે.
👉 કથાથી ભગવદ્ દર્શન કરવાની આતુરતા જાગે છે.
👉 રામ કથાથી ભક્તિ વધે છે.
આજરોજ કથામાં રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને સાથે ભરતનાટ્યમ ની પ્રસ્તુતિ પણ કરવામાં આવી હતી અને રાસગરબાની પણ રજૂઆત કરવામાં આવી હતી જેમાં ઘણા બધા ભક્તો જોડાયા હતા.
