( ઝાલાવાડ માં બે દિવસ માં સત્તર હઝાર મણ વરીયાળી, અને બાર હઝાર મણ જીરૂની આવક બે દિવસ માં નોંધાઈ)
ઝાલાવાડ ના સૌથી મોટા ગણાતા હળવદ માર્કેટિંગ યાર્ડ માં માર્ચ એન્ડિંગ ને કારણે છ દિવસ ની યાર્ડ માં રજા જાહેર કરી હતી ત્યારે સોમવાર થી ફરી યાર્ડ ધમધમતું થઈ જતા પાછલા બે દિવસ માં વરીયારી ની હાઈએસ્ટ સત્તર હઝાર મણ ની અને જીરા ની બાર હઝાર મણ ની આવક નોંધાઇ હતી ખાસ કરી ને ચાલુ સિઝન દરમિયાન વરીયારી ના બઝાર ભાવ સારા મળતા હોવાને કારણે તાલુકા માં વરીયારી નું વાવેતર પ્રમાણ માં વધારે થતા હાલ માં યાર્ડ વરીયારી ની આવક થી ધમધમી રહ્યું છે.
ઝાલાવાડમાં મુખ્ય કપાસ, જીરુ, વરીયાળ, મગફળી જેવા પાકનું ઉત્પાદન વધુ થાય છે જેમાં સૌથી વધુ જીરૂ, ધાણા અને વરીયારી ની સીઝન શરુ થતા હવે માકેઁટીંગ યાડઁમા તૈયાર પાક આવી રહયા છે ખાસ તો પાછલા વર્ષ કરતા ચાલુ વર્ષે વરીયારી નું વાવેતર વધુ થયું હોય હાલ વરીયારી ની આવક યાર્ડ માં ભરપૂર આવી રહી છે ઉપરાંત વરીયારી ના બઝાર ભાવ ૧૭૦૦ થી ૨૧૦૦ પ્રતિ વીસ કિલો ના હોવાથી ખેડૂતો પણ ખુશ હોવાનું જાણવા મળ્યું છે
બીજું કે ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી, વરીયાળી વગેરે મુખ્ય છે. તેમાંથી વરીયાળી એ ભારતનો મહત્વનો મસાલા પાક છે. રવી અને ખરીફ બંને સિઝનમાં તેની સફળતાપૂર્વક ખેતી કરી શકાય છે,
મેટરબોક્સ. યાર્ડ માં અન્ય જણસ ની આવક..
યાર્ડ ના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવેલ કે હળવદ યાર્ડ માં વિવિધ ખેતીપાકો ની વિવિધ જણસો ની બે દિવસ ની આવક માં વરીયારી-૧૭ હઝાર મણ, જીરૂ-૧૨ હઝાર મણ, રાય-૩૫૦૦ મણ, મેથી-૮હઝાર મણ ચણા-૬૫૦૦ મણ અને ધાણા-૧૨૫૦૦ મણ ની આવક નોંધાઇ છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...