ઇન્ડોનેશિયા કોલ માં ભેળસેળ કરી નબળી ગુણવત્તા વાળો કોલસો ધાબડી દેતાં પોલીસ ફરીયાદ નોંધાય
મળતી માહિતી મુજબ નવલખી પોર્ટ તે આવેલ વાસુકી ટ્રેક લિંક કંપની પાસેથી ઇન્ડોનેશિયા કોલ નો જથ્થો હિંમતનગરની અંબુજા એક્સ્પોર્ટ લિમિટેડ કંપની એ મગાવ્યો હતો એ જથ્થામાં ટ્રકચાલકે ભેળસેળ કરી ઉચ્ચ ગુણવત્તા વાળા કોલસાની જગ્યાએ નબળી ગુણવત્તાવાળો કોલસો ધાવડી દેતા ૧૦ ટ્રકચાલકો વિરૃદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે
રાજકોટના મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા જસ્મીનભાઈ બાલશંકરભાઈ માઢક (ઉ.૪૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નંબર જીજે ૧૦ ટીયુ ૮૪૩૧ ના ચાલક કાળુભાઈ, ટ્રક નંબર ૧૨ એસી ૬૮૦૫ તથા તેના માલિક સુનીલ વીરડા, ટ્રક જીજે ૧૦ ટીટી ૩૮૬૨ના ચાલક, ટ્રક નંબર જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૫૯૯૪ ના ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૧૨૮૯ ના ચાલક, ટ્રક જીજે ૩૬ ટી ૫૯૯૪ ના ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દીપક વશરામભાઈ તથા તપાસમાં ખુલે તેને એકબીજા સાથે મેળાપીણું કરી આરોપી ટ્રક/ડમ્પરના ચાલકોએ પોતાના કબ્જા વાળી ટ્રક/ડમ્પરોમાં ફરિયાદી જસ્મીનભાઈની વાસુકી ટ્રેડલીક પ્રા.લી.નો નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશિયા કોલ ૩૪૦૦ જીસીવીની ગુણવતા વાળો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે પહોચાડવા નીકળી રસ્તામાં માલ પરિવહન દરમિયાન જેતે સ્થિતિમાં પહોચાડવાની જવાબદારી આરોપીઓની હોય જે જવાબદારી નહિ નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રિકટન ૧૦૦ કી.ગ્રા. કુલ કીમત.૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમિયાન ટ્રક/ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડી બંધ તાલપાત્ર ખોલી તેમાંથી કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા/માટી ભેળસેળ કરી પરિવહન દરમિયાનનો વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...