મોરબી : મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારે તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામા દ્વારા હોળી અને ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને જાહેરમાં રંગો ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યાં પ્રમાણે હોળી તથા ધૂળેટીના તહેવાર નજીકમાં આવતા હોય યુવાનો અને બાળકો જાહેર રસ્તાઓ ઉપર તથા શેરીઓમાં/ગલીઓમાં દોડાદોડી કરી જાહેરમાં ચાલતા ટ્રાફીકને અડચણરૂપ બને છે.જે અટકાવવાનું ખુબ જ જરૂરી છે.આ ઉપરાંત જાહેર સુલેહ અને સલામતિ જાળવવા તથા કોમી એખલાસ જળવાઇ રહે તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે માટે કોઇ પણ ઇસમ અથવા ઇસમોએ જાહેર રસ્તાઓ ઉપર કોરા રંગ(પાવડર) અથવા રંગ મિશ્રિત પાણી અથવા તેવા કોઇપણ પ્રકારના પ્રવાહીઓ ફેકવા ઉપર અને તે માટેના સાધનો લઇ જાહેર રસ્તાઓ ઉપર દોડવા પર પોતાના હાથમાં રાખવા પર તથા ખુલ્લા વાહોનોમાં સ્વાસ્થ્યને નુકસાનકારક પ્રવાહી લઇ જવા પર તથા આકસ્મિક બનાવ ન બનવા પામે કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનું વર્તન કરવા પર કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત કે કોઇને ઇજા કે હાની થાય તેવી કોઇ પણ પ્રવૃત્તિથી ટ્રાફીકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવા ઉપર પ્રતિબંધ મુકવાની આવશ્યકતા જણાય છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...