મોરબી: મોરબી જીલ્લાના શોભાના ગાંઠિયા સમાન મચ્છુ-3 અને ડેમી-3 ડેમમાંથી ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઇનું પાણી મળે તે માટે ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી જીલ્લામાં સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે તે માટે મચ્છુ-૩ અને ડેમી-૩ ડેમો બનાવવામાં માં આવેલ છે. આ ડેમોનું બાંધકામ પૂર્ણ થયાને ૧૫ વર્ષ જેવો માતબર સમય થયેલ છે. છતાં પણ આજ દિન સુધી કેનાલોના કામો પૂર્ણ થયેલ નથી. તેમજ ખેડૂતોને કેનાલ દ્વારા એક પણ વખત સિંચાઈ માટેનું પાણી મળેલ નથી. તો આ ડેમો શું? શોભાના ગાંઠિયા તરીકે સાચવીને રાખવા માટે બનાવેલ છે. ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવા માટે આ ડેમો બનાવવામાં આવેલ નથી શું? તેથી ખેડૂતો વતી ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી બાવરવાએ માંગણી કરી છે અને આ ડેમોની કેનાલો તાત્કાલિક પૂર્ણ કરીને ખેડૂતોને કેનાલ દ્વારા સિંચાઈનું પાણી મળે તે માટે યોગ્ય કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી છે.
મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સૂન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી.
જેમા ઘર મુલાકાત લઇ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામા આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામા આવી હતી તેમજ...
મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી બિયર ટીન નંગ -૦૮ કિં રૂ. ૧૫૬૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન...
મોરબી શહેર તેમજ જીલ્લામાં શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ જુગારીઓ મેદાનમાં આવી ગયા છે ત્યારે મોરબીના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બરવાળા ગામે રબારીવાસમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા...