મોરબી: મોરબીના ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નનું સંપન થયા જેમાં અગિયાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આ તકે નવદંપતીઓને વડીલોએ આશિર્વચન પાઠવ્યા હતા.
મોરબીના નવલખી રોડ ઉપર રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે છઠ્ઠા સમૂહલગ્નન યોજાયા હતા જેમાં અગિયાર નવ દંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા. આ અગિયાર દીકરીઓને ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર તરફથી કરિયાવર રૂપે ૨૦૦ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી. તેમજ આ તકે નવ દંપતીઓને વડીલો દ્વારા આશિર્વચન પાઠવ્યા હતા. તેમજ સમૂહલગ્નને સફળ બનાવવા ધનુંભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઇ ડાંગર ,દીપકભાઈ, રઘુભા ઝાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...