મોરબી: મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટે ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના સર્જાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ મોરબી મચ્છુ નદીના કાઠે આવેલા મચ્છુ માતાજીના મદિર નજીક સ્કૂલ બસ હડફેટએ ત્રણ બાળકો સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે જાણ થતાં જ બાજુમાં રેસકયું કરી રહેલ NDRF અને SDRFના જવાનો તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્ત બાળકો સહિત ચાર લોકોને હોસ્પિટલે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત કઈ રીતે સર્જાયો તેની કોઈ માંહીતી હજુ સુધી મળી નથી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...