મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જીત જયંતિભાઈ પટેલની નજીક સરકી રહી છે
મોંઘવારીથી પરેશાન ગ્રામ્ય અને શહેરી જનતા દ્વારા થઈ રહ્યું છે કોંગ્રેસના પ્રચારકોનું ઉંમળકા ભેર સ્વાગત
મોરબી : મોરબીમાં મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ચૂંટણી ચિત્ર નિત નવા મોડ પર કરવટ બદલી રહ્યું છે. પોતાના પ્રચાર અભિયાનમાં પહેલેથી જ પોતાના પ્રતિસ્પર્ધી ઉમેદવારો પર સરસાઈ મેળવી ચૂકેલા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતિભાઈ પટેલને મોરબી શહેર તેમજ મોરબી-માળીયાના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર મોરબી માળિયા વિધાનસભામાં જનતાનો જે રીતે ઉષ્મા સભર પ્રતિસાદ સાંપડયો છે તે જોતા લાગે છે કે જયંતીભાઈ પટેલનો વિજય હવે સુનિશ્ચિત થવા જઈ રહ્યો છે.
મોરબી-માળિયા વિસ્તારમાં જે પ્રકારે ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખાં મારવાં પડી રહ્ય છે તેમજ પચીસ પચીસ વર્ષથી એક હથુ ભાજપનું શાસન હોવા છતા માળિયાના ખેડૂતોને પોતાની ખેતી બચાવવા માટે પુરતા પ્રમાણમાં સિંચાઇનું પાણી મળી રહ્યું નથી. જયારે ઉભો પાક શુકાતો હોય ત્યારે ખેડૂતોને પાણી માટે વલખાં મારવાં પડે છે પાણી સહીતના અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી આ મુદ્દાઓના હલ માટે મોરબી-માળીયા વિસ્તારના લોકો કોંગ્રેસ ઉમેદવાર જયંતિભાઈ પટેલને વિજય બનાવવાના કોલ આપી રહ્યા છે. મોરબી માળિયા વિસ્તારના દરેક ગામડાઓમાં કોંગ્રેસ પક્ષના જોશીલા ઉમેદવાર જયંતિભાઈ પટેલને જબર પ્રતિસાદ મળી રહ્યો છે. જયંતીભાઈ પટેલના જબર જસ્ત ચૂંટણી પ્રદર્શનને કારણે ભાજપ અને આમ આદમી પાર્ટીના ડબા ગુલ થઇ ગયા હોય તેવું વાતાવરણ છે જેને કારણે તેઓ માર્કેટમાં દેખાવા માટે મરણીયો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યાયથી દાળ ગળતી નથી. સમગ્ર મોરબી વિસ્તારનું આકલન કરતા એ વાત સ્પષ્ટ જણાય છે કે જયંતીભાઈ પટેલ પોતાની ભવ્ય જીત તરફ અગ્રેસર આગળ વધી રહ્ય છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...