મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પર અને રાજસ્થાનથી મોરબી આવતી ખાનગી બસ વચ્ચે વહેલી સવારે 7:30વાગ્યાની આસપાસ જોરદાર અકસ્માત સર્જાયા નો બનાવ બન્યો છે આ બનાવમાં પરશુરામ બીશનોઈ,પુરુ રામ ભાઈ યોગેશ સત્યમુક્તિ,ભટારામ જોગરામ,રહે બાડમેર, ભવરાજી દુબરાજી,પ્રવીણસિંહ રવિન્દ્રસિંહ,વેકટનગેશ નરસીમારહે જામનગર ભીમાભાઈ અમરસીભાઈ રહે પોરબંદર સહિતના મુસાફરોને ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં મોરબી પોલીસની ટીમ તેમજ મોરબી 108ની લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહીર પાઇલોટ રામભાઈ આહીર તેમજ માર્કેટિંગ યાર્ડ લોકેશનના ઇએમટી ઈકબાલભાઈ અને પાઇલોટ જયદેવસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...