સરપંચ અજયસિંહ જાડેજા તેમજ ઉપસરપંચ અમિતભાઈ ગામી ના નેતૃત્વમાં આ કેમ્પ નું આયોજનકરવામાં આવ્યું હતું
આજ રોજ મોરબી જિલ્લાના વિરપરડા ગામ ખાતે આંખ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો 100 થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો.આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવીયો હતો જેમાં ડો.અજયસિંહ પી રાઓલ અમદાવાદ (M.A.,D.O.T.) બધા લોકોને સારી રીતે તપાસ કરી અને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવ્યા હતા.અને આ સંસ્થા છેલ્લા 12 વર્ષ થી વધારે સમય થી કાર્યરત છે અને અત્યાર સુધી માં ડો. દ્રારા આઠ લાખ થી વધુ દર્દી ને તપાસવામાં આવ્યા છે
મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા આવતીકાલે તારીખ ૨૪ જુન ને મંગળવારના રોજ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં...
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિતવીક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં...