મોરબી: મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી જતા બે બાળકો સહિત પાંચ લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ એન્ટીક સીરામીક નજીક રોડ ઉપર સિએનજી રીક્ષા આડું કુતરું ઉતરતા કુતરા સાથે અથડાતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. તેમજ રીક્ષામાં પરપ્રાંતીય મંજુર સવાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને પરપ્રાંતીય મંજુર મુળ મધ્યપ્રદેશના વતની હોય અને કારખાને કામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે બાળકો સહિત પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ દ્વારા મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં છે.
૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક શાળામાં બાળકોને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના દિલેર દાતા લા હરખજીભાઈ ટી સુવારિયા તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો.
પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ત્રિભોવનભાઈ સી ફુલતરિયાએ શાળાના વિદ્યાર્થીઓને...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત તથા જિલ્લા સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ સાથે જોડાયેલ વિશાળ કાર્યક્રમો સફળ પૂર્વક યોજાયા.
ધોરણ 10 અને 12 – માર્ગદર્શન સેમિનાર
બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને આયોજિત...
મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત
મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.
આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ...