મોરબી: મોરબી તાલુકાના જોધપર (નદી) ગામે નિલેષભાઈ પટેલની વાડીએ યુવતીએ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ કિરણબેન સુરેશભાઇ સમરાભાઇ ડામરા ઉ.વ.૨૦ રહે હાલ જોધપર(નદી) નિલેષભાઇ પટેલની વાડીએ, તા.જી.મોરબી મુળ રહે. ખરભડી ગામ, તા.ગંધવાણી, જી.ધાર (મધ્ય પ્રદેશ). વાળી ગઇ તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે જોધપર(નદી) ગામના નિલેષભાઇ પટેલની વાડીએ પોતાની માતાએ રોટલા ઘડવા તથા ઘરકામ બાબતે ઠપકો આપતા મનોમન લાગી આવતા એકલતાનો લાભ લઇ વાડીના ખેતરમાં ઝેરી દવા પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરતા તા.૨૬/૧૨/૨૦૨૨ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
આજે ગણેશ ચતુર્થીના અને સંવત્સરીના પાવન અવસર પર કોર્ટ પરિસર મામલતદાર ઓફીસમાં તમામ નોટરીની હાજરીમાં મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં સિનિયર ધારાશાસ્ત્રી અને નોટરી જીતુભાઈ પટેલની બિન હરીફ વરણી કરવામાં આવી છે.
મોરબી જીલ્લા નોટરી એસોસિએશનના વિવિધ હોદ્દેદારોની નીમણુંક કરાઈ જેમાં પ્રમુખ તરીકે -...
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...