મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતા દીનેશભાઇ છગનભાઇ પાડલીયા (ઉ.52) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના પંચાસર રોડ ઉપર આવેલ
ખેતરમાં લીંબડાના ઝાડ સાથે દોરડુ બાંધી ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આપઘાતના આ બનાવની મૃતકના ભાઈ ઇશ્વરભાઇ છગનભાઇ પાડલીયાએ એ ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.
