મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામમાં સીતારામનગર ખાતે આગામી તા. ૨૬ ડીસેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી સુધી શ્રી રામદેવ રામાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર ખાતે યોજાનાર શ્રી રામદેવ રામાયણમાં વક્તા શ્રી બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) (ગુરુશ્રી ભાવેશ્વરી માં) રામધન આશ્રમ મોરબી કથાનું રસપાન કરાવશે કથામાં આવતા પાવનકારી પ્રસંગો જેવા કે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી અને કથા વિરામ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ તા. ૨૬ થી કથા પ્રારંભ થશે અને દરરોજ બપોરે ૦૧ : ૩૦ થી સાંજે ૬ સુધી કથા શ્રવણનો લાભ લઇ શકાશે કથાનો વિરામ તા. ૦૧ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જે શ્રી રામદેવ રામાયણ કથાનો લાભ લેવા કથાના યજમાન લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ નિમંત્રણ પાઠવ્યું છે.
ગયકાલે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ૧ થી ૧૯ વયના શાળાએ જતા અને શાળાએ ન જતા તમામ બાળકોને શાળા અને આંગણવાડીમા કૃમિ નાશક દવા આપવામાં આવેલ.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ખરેડાના સેજામા આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર જીકીયારી...
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ ૦૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી કુલ 457 ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધેલ હતો.
આ સપ્તાહ દરમિયાન અત્રેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના સિનિયર સાયન્ટિસ્ટ અને હેડ...
પેટકોક દારૂની જેમ જીવન જરૂરિયાત બની ગયો હોઈ તેવો ઘાટ સર્જાયો
ભારત ની સૌથી જટિલ બે સમસ્યા એક વસ્તી વધારો અને બીજું પર્યાવરણ, મોરબીને ભૂતકાળમા કોલગેસ મા આભે તારા દેખાડી દેનાર અમુક સિરામિક વાળા હાલ ખાનગી રીતે પેટકોક નો વપરાશ કરી રહ્યા છે.
NGT ની ગાઇડલાઇન્સ મુજબ પેટકોક નું ગેરકાયદેસર હોવા...