મોરબી: મોરબી તાલુકાના મકનસર ગામમાં સીતારામનગર ખાતે આગામી તા. ૨૬ ડીસેમ્બરથી તા. ૦૧ જાન્યુઆરી સુધી શ્રી રામદેવ રામાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
મોરબી તાલુકાના મકનસર ગામે સીતારામનગર ખાતે યોજાનાર શ્રી રામદેવ રામાયણમાં વક્તા શ્રી બાળ વિદુષી રતનબેન (રત્નેશ્વરીબેન) (ગુરુશ્રી ભાવેશ્વરી માં) રામધન આશ્રમ મોરબી કથાનું રસપાન કરાવશે કથામાં આવતા પાવનકારી પ્રસંગો જેવા કે શ્રી કૃષ્ણ પ્રાગટ્ય નંદ મહોત્સવ, શ્રી રામદેવજી મહારાજ પ્રાગટ્ય, શ્રી ભૈરવ ઉદ્ધાર, શ્રી રામદેવજી મહારાજનો વિવાહ, શ્રી પાટનો મહિમા ગત ગંગાના ભક્તોની કથા, શ્રી રામદેવજી મહારાજની સમાધી અને કથા વિરામ સહિતના પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ તા. ૨૬ થી કથા પ્રારંભ થશે અને દરરોજ બપોરે ૦૧ : ૩૦ થી સાંજે ૬ સુધી કથા શ્રવણનો લાભ લઇ શકાશે કથાનો વિરામ તા. ૦૧ જાન્યુઆરીના રોજ કરવામાં આવશે જે શ્રી રામદેવ રામાયણ કથાનો લાભ લેવા કથાના યજમાન લાલાભાઈ મારાજ (અલ્પેશભાઈ અનંતરાય દેવમુરારી)એ નિમંત્રણ પાઠવ્યું છે.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...
મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ,...