મોરબી: મોરબીના લાયન્સનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના લાયન્સનગરમા શેરી નં -૨ રામાપીરના મંદિર પાસે રહેતા કમેલેશભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૩)એ ગત તા.૧૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
