મોરબી: મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે ઘરમાં બધા હાજર હતા ત્યારે ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી ગાળો આપી છરી વડે જાનથી મારી નાંખવાની ધમકી આપી મહીલા તથા સાહેદ છોડાવવા જતા મહીલાનુ બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરા બીલાલી મસ્જીદ પાસે પ્રજાપત કારખાના સામે રહેતા રાજશ્રીબેન ધર્મેશભાઈ જગદીશભાઇ મેર (ઉ.વ.૨૫) એ આરોપી તોફીકભાઈ ઇબ્રાહીમભાઈ ચાનીયા રહે પરસોતમ ચોક પાસે મોરબી તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૫-૧૨-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે ફરીયાદી તથા સાહેદો બધા ઘરે હાજર હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીયાદીના ઘરમા પ્રવેશકરી ગાળો બોલી આપી પોતની પાસે છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ સાથે જપાજપી કરી ઢીકાપાટુનો માર મારી ફરીયાદી તથા સાહેદ છોડાવવા વચ્ચે પડતા ફરીયાદીનું બાવડુ પકડી ઉપાડી જવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર મહિલા રાજશ્રીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩, ૩૫૪, ૪૪૨, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...