મોરબી: મોરબીની દુર્દશા પાછળ મોરબીનુ જ રાજકારણ લખવાં પાછળ ના અનેક પુરાવા સાબિતી આપે છે જેમ કે મોરબીના અનેક વિસ્તારો એમાંય ઘડિયાળ ઉદ્યોગનું હબ એવા લાતી પ્લોટમાં વ્યવસાય કરતા હજારો નાના મોટા ધંધાદારીઓ છેલ્લા ઘણા વર્ષોથી ગંદકીના ગંજ તેમજ ઉભરાતી ગટરોને રાત્રી દરમિયાન અંધકારમય યાતનાઓ વેઠી રહ્યા છે. ને એવુ પણ નથી કે તેમને રજુવાત ન કરી હોઈ હજારો વખત રજુવાત કરવા છતાં કોંગ્રેસ કે ભાજપ કે કોઈ તંત્ર ના જવાબદાર અધિકારીના પેટનું પાણી પણ હલ્યું હોઈ તેવો કિસ્સો હજુ સુધી જોવા નથી મળ્યો.
ચૂંટણીઓ તો અનેકવાર આવી અને જતી રહી પણ મોરબીના અનેક વિસ્તારો આજે પણ વિકાસને જંખી રહ્યા છે પણ એકપણ નેતા કે જવાબદાર અધિકારીઓ વિકાસ વગરના બાકી હોઈ તેવું દૂર દૂર સુધી દેખાતું નથી માટે વિકાસ માત્ર નેતાઓ અને ભ્રસ્ટાચારી અધિકારીઓનોજ થયો છે.
ગુજરાતમાં એ ગ્રેડની નગરપાલિકાઓમાં જેમને સ્થાન મળ્યું અને કરોડોની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોવા છતાં સ્થાનિક રાજકારણનો ભષ્ટ્રાચાર રૂપી અજગર ભરડો લોકોની સુખ સુવિધાને સલામતીને યાતનાઓ તરફ ધકેલી રહ્યો છે.
વિશેષમાં અધિકારીઓ કોન્ટ્રાક્ટર અને જિલ્લા વિકાસના તમામ વિભાગોમાં સંકલનનો અભાવ પણ હાનિકારક સાબિત થઇ રહ્યો છે. હવે વાત રહી બીજા વિસ્તારોની તો ગણવા બેસી તો નાના એવા મોરબી શહેરમાં આંગળીના વેઢા ટૂંકા પડે જેમ કે આસ્વાદ પાન ચોક, જુના બસ સ્ટેન્ડ, એ ડીવીજનની સામેનો વિસ્તાર, વાવડી રોડ, શિક્ષણ અધિકારીની કચેરી સામેનો વિસ્તાર, લાઇન્સનગર, પંચાસર ચોકડીથી કામધેનુ સુધી, પંચાસર રોડ, સુપરમાર્કેટ, કેસરબાગ, મોરબી સિવિલ હોસ્પિટલ વગેરે વગેરે વિસ્તારોમાં કોઈ સ્વછતા તો કોઈ સારા રોડ તો કોઈ સારી ગટરો માટે આજે પણ જજુમી રહ્યા છે અને નેતાઓ અને નગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર અધિકારીઓ જે રીતે મોટા મોટા વચન અને વાયદાઓના આપતાં હોઈ છે તે પણ પોકળ સાબિત થાઈ છે ને હજુ પણ જો મોરબીવાસીઓની સુખાકારીનો અપાવી સકતા હોઈ તો ઈશ્વરનો ડર રાખી સ્વૈચ્છિક રાજીનામુ આપીને મોરબીની ભોળી પ્રજા પર એક ઉપકાર કરવો જોઈ તેવું મારું માનવું છે.
અંતમાં હજુ પણ સમય છે જો આ સ્થિતિને જોતા જો મોરબી નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત તેમજ જવાબદાર અધિકારી જવાબદાર હોદ્દેદારો સામાજિક સંસ્થાઓ પોલીસ વિભાગ અને દરેક મોરબી વાસી જો આ અભિયાનને સકારાત્મક વલણ સાથે અપનાવે તો ચોક્કસ પણે આપણું મોરબી સ્વચ્છ સલામત સુરક્ષિત બની શકે તેમાં શંકાને સ્થાન નથી.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...