મોરબી માળિયા ના 24 ગામો ને એલર્ટ કરાયા
2330 કયુબેક પાણીનો જથ્થો મચ્છુ નદી માં છોડવામાં આવશે
મોરબી : મોરબી ના કંડલા બાયપાસ પર જુનાં આરટીઓ નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય નવો પુલ નિર્માણ કરવા રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી નક્કી કરવામાં આવતા આગામી તા.24ના રોજ સવારે 9 વાગ્યાથી ડેમમાં ભરેલ પાણી ખાલી કરવાનું શરૂ કરાશે જેથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના 8 મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
સિંચાઇ યોજના અંતર્ગત ૨૭૮.૪૪mcft પાણીનો જથ્થો સંગ્રહ છે મચ્છુ ડેમ 3 ખાલી કરવા બાબતે વધુ માહિતી મેળવવા માટે મોરબી સિંચાઇ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.વધુમાં આ મામલે મોરબી સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.
દરમિયાન મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવામાં આવનાર હોવાથી મચ્છુ-3 યોજના હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા,વનાળીયા,માનસર, નારણકા,નવા સાદુળકો,જુના સાદુળકા,રવાપર (નદી),ગુંગણ,જુના નાગડાવાસ, નવા નાગડાવાસ,અમરનગર,સોખડા,લક્ષ્મીનગર,અમરેલી,ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા,મેઘપર,નવાગામ,રાસગપર,વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
હળવદ: DDO તથા CDHO ના માર્ગદર્શન હેઠળ લાઈફકેર બ્લડ બેન્ક તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, THO ઓફિસ હળવદના સહયોગ થી હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફના અથાગ પ્રયત્ન થકી જુના...
મોરબી મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૩૬ વેપારીઓ અને ગંદકી કરતા ૨૩ આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરી વિસ્તારમાં તા. ૧૧ જુન થી ૧૬ જુન દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડકીય કાર્યવાહી હાથ...
દેશનેતાઓ,ક્રાંતિકારીઓ વ્યક્તિઓના આબેહૂબ ચિત્ર દોરતો શક્ત શનાળાનો બાળ ચિત્રકાર
મોરબીના શક્ત શફનાળા ગામના 'અનંત અઘારા' નામના બાળકની ચિત્રો બનાવવાની બેનમૂન કલા
મોરબી, દરેક બાળક એ ઈશ્વરનું અદ્દભુત સર્જન છે, દરેક બાળકમાં ઈશ્વરે કંઈકને કંઈક ખાસિયતો, કંઈકને કંઈક શક્તિ કલા,કૌશલ્ય આપેલા જ હોય છે પણ દરેક બાળકે, બાળકના માતા પિતાએ એ કલા,...