મોરબી માળિયા ના 24 ગામો ને એલર્ટ કરાયા
2330 કયુબેક પાણીનો જથ્થો મચ્છુ નદી માં છોડવામાં આવશે
મોરબી : મોરબી ના કંડલા બાયપાસ પર જુનાં આરટીઓ નજીક આવેલ પુલ જર્જરિત હાલતમાં હોય નવો પુલ નિર્માણ કરવા રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા 85 ટકા ભરેલ મચ્છુ-3 ડેમ ખાલી નક્કી કરવામાં આવતા આગામી તા.24ના રોજ સવારે 9 વાગ્યાથી ડેમમાં ભરેલ પાણી ખાલી કરવાનું શરૂ કરાશે જેથી મચ્છુ-3 ડેમના હેઠવાસમાં આવતા મોરબી તાલુકાના 16 અને માળીયા તાલુકાના 8 મળી કુલ 24 ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
સિંચાઇ યોજના અંતર્ગત ૨૭૮.૪૪mcft પાણીનો જથ્થો સંગ્રહ છે મચ્છુ ડેમ 3 ખાલી કરવા બાબતે વધુ માહિતી મેળવવા માટે મોરબી સિંચાઇ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર પાસેથી મળતી માહિતી મુજબ મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.વધુમાં આ મામલે મોરબી સિંચાઈ યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, મચ્છુ-3 ડેમમાં હાલમાં 278.44 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત છે. અંદાજે 85 ટકા ભરેલા મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવા તા.24 માર્ચે સવારે પાંચ દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવશે અને ક્રમશ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં વહાવી ખાલી ચેકડેમ ભરવામાં આવશે.
દરમિયાન મચ્છુ-3 ડેમ સંપૂર્ણ ખાલી કરવામાં આવનાર હોવાથી મચ્છુ-3 યોજના હેઠળ આવતા મોરબી તાલુકાના હેઠવાસના ગોર ખીજડીયા,વનાળીયા,માનસર, નારણકા,નવા સાદુળકો,જુના સાદુળકા,રવાપર (નદી),ગુંગણ,જુના નાગડાવાસ, નવા નાગડાવાસ,અમરનગર,સોખડા,લક્ષ્મીનગર,અમરેલી,ધરમપુર તેમજ માળિયા(મી) તાલુકાના દેરાળા,મેઘપર,નવાગામ,રાસગપર,વિવદરકા, માળિયા(મી), હરીપર અને ફતેપર ગામના લોકોને નદીના પટ્ટમાં અવર-જવર નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયર ચોરીનો ભેદ હળવદ પોલીસ દ્વારા ઉકેલી નાખ્યો છે આ ગુનામાં પોલીસે કેબલ વાયર ચોરી કરનાર બે ઈસમોને ઝડપી પાડયા છે તેમજ ૨,૯૯,૪૫૫ રૂપિયાનો મુદ્દામાલ હળવદ પોલીસે જપ્ત કર્યો છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફના અનડિટેકટ ગુનાઓ ડિટેકટ કરવા પ્રયત્નશીલ...
રાજ્ય ચુંટણી પંચ દ્વારા S.I.R ની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે જેમાં ડુપ્લીકેટ મતદારો રોકવા વેરીફીકેશન કરવામાં આવશે જેમાં યોગ્ય કરવા તા આ કામગીરીમાં કોઈ ગેરરીતી ન થાય તેવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્ય ચુંટણી કમીશ્નરને રજુઆત કરી...
કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચારજો! સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપિંડીનો નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમા પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીના આધેડેને આરોપી વોટ્સએપ પર APK ફાઈલ મોકલતા આધેડે ઓપન કરતા આધેડના ખાતામાંથી રૂ. 3.33.500 ટ્રાન્સફર કરી...