મોરબી : આજે જ્યારે સૌને અંગ્રેજી ભાષાનું ઘેલું લાગ્યું છે, લોકો પોતાની માતૃભાષાને ભૂલી રહ્યા છે, ત્યારે વિશ્વ માતૃભાષા દિવસનાં પાવન પ્રસંગે ઉજવણીમાં અગ્રેસર એવી સોખડા પ્રાથમિક શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની હરખભેર ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાર્થના સભામાં ભાષા લોકો વચ્ચે પ્રત્યાયન માટે કેવું કડિરૂપ કામ કરે છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. શાળાના શિક્ષક રમેશભાઈ કાલરિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આપણે આપણી લાગણીઓ,સંવેદનાઓ જે રીતે માતૃભાષામાં વ્યક્ત કરીએ છીએ એ રીતે અન્ય ભાષામાં કરી શકતા નથી,આપણને માતા પ્રત્યે જેટલો પ્રેમ અને સ્નેહ હોય એટલો જ પ્રેમ માતૃભાષા પ્રત્યે રાખવો જોઈએ, જેમકે માં તે માં છે અને માસી તે માસી છે, માસી જેમ માતાનું સ્થાન ન લઈ શકે એમ અન્ય ભાષા ક્યારેય માતૃભાષાનું સ્થાન ન લઈ શકે,માટે માતૃભાષા જીવંત રહે એ આશયથી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન દિવ્યેશભાઈ અઘારા તથા આશાબેન ગોહિલ વગેરેએ કર્યું હતું. એમ પ્રદિપભાઈ કુવાડિયા શાળાના શિક્ષક અને સિનિયર ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લાની યાદીમાં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...