મોરબી જિલ્લામાં સરકારી આરોગ્ય સેવા વર્ષોથી કથળેલ હાલતમાં છે પાંચ તાલુકાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં જિલ્લો બન્યાના બાદ પણ સવલતો અને કામગીરી તાલુકા કક્ષાની હોસ્પિટલ જેવી હોય તેવું લાગી રહ્યું છે
મોટા ભાગની તબીબોની જગ્યા વર્ષોથી ખાલી હોય,સાધનોનો અભાવ હોય આ ઉપરાંત ઔધોગિક જિલ્લામાં મેડિકલ કોલેજની તાતી જરૂરિયાત હોવાથી અનેક રજુઆત કરી હતી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બ્રીજેશભાઈ મેરજાએ પણ પેટા ચૂંટણી વખતે જોરશોરથી મેડિકલ કોલેજને મંજુરી મળી હોય હવે જિલ્લાને આરોગ્ય સગવડ મળશે તેવા પણ મસમોટા દાવા કરવામાં આવ્યા હતા તેમજ મત પણ મેળવ્યા હતા જોકે આજ બ્રીજેશ મેરજા જીતી ગયા અને બાદમાં મંત્રી બની ગયા હતા જોકે મંત્રી બન્યા બાદ મેડિકલ કોલેજનો મ બોલવાનું પણ જાણે બંધ કરી દીધું હતું જિલ્લાને 2 વર્ષ સુધી મેડિકલ કોલેજના સપના દેખાડી અચાનક જ સરકારે મેડિકલ કોલેજ છીનવી લીધી અને હવે આ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.સરકાર દ્વારા કયા કારણોસર આ નિર્ણય લીધો તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી
આ અંગે રાજ્ય મંત્રી બ્રીજેશ મેરજાએ જણાવ્યું હતું કે મોરબીમાંથી મેડીકલ કોલેજ છીનવાઈ નથી પરંતુ તેનો પ્રકાર બદલાયો છે અગાઉ મંજુર થયેલ મેડીકલ કોલેજ ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ હતી જે મુજબ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજની સ્થાપના સરકાર કરતી હતી અને સંચાલન ગુજરાત મેડીકલ રીસર્ચ એંડ એજ્યુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવતું હતું જયારે મોરબીને બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ મળશે જેમાં સરકાર પ્રાઈવેટ સંસ્થાઓને મેડીકલ કોલેજનું સંચાલન સોપશે અને હોસ્પિટલ માજ મેડીકલ કોલેજ ચાલશે મોરબી જીલ્લામાં વધુ સારી અને આધુનિક સુવિધા મળશે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...