મોરબીમાં ઉમિયા નવરાત્રિ મહોત્સવ દ્વારા આગામી શનિવારનાં રોજ ‘કાવ્ય કળશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાખો યુવા દિલોની ધડકન એવા વિશ્વ વિખ્યાત કવિ કુમાર વિશ્વાસની ખાસ ઉપસ્થિત રહેશે.
આગામી તા.૧૧ને શનિવારના રોજ મોરબીના સન સિટી ગ્રાઉન્ડ (હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ) રવાપર-નડા રોડ, ખાતે ‘કાવ્ય કળશ’ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કવિ ડો.કુમાર વિશ્વાસ, અમિત શર્મા, કવિ ચેતન ચર્ચીત, કવિ સુમન સુબે, કવિ સુદીપ ભોલા, તેમજ કવિ જાની બજરંગી સહીતના સાહિત્યકારો પણ કલાના કામણ પાથરશે. ત્યારે આ કાર્યક્રમને લઇ મોરબીની જનતામાં પણ ખૂબજ ઉત્સાહ જેવા મળી રહ્યો છે. તેમજ કવિ કુમાર વિશ્વાસને રૂબરૂ સાંભળવા સાહિત્ય રસીકોમાં પણ આતુરતા જોવા મળી રહી છે. ત્યારે હાલ મોરબી ઉમિયા નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ કાર્યક્રમને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબીની જનતા પણ આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહેવા ઉમિયા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...