દેશ ભરમાં ચૈત્રી નવરાત્રી નેં લઇ ને માતાજી ની ની ભક્તિ અને આરાધના કરવા માં આવી રહી છે ત્યારે મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટીયાપા શેરીમાં આવેલ અંબિકા આશ્રમ ખાતેથી રામનવમી નિમિતે માતાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
બે વર્ષથી કોરોના મહામારીને પગલે માતાજીની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી જોકે હવે કોરોના ખતરો ટળી જતા રામનવમી નિમિતે માં અંબેની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી અંબિકા આશ્રમ મંદિર ખાતેથી જય અંબેના નાદ સાથે ભવ્ય રથયાત્રા શરુ કરવામાં આવી હતી જે રથયાત્રા શહેરના દરબારગઢ, ગ્રીન ચોક, નહેરુ ગેઇટ ચોક અને જેલ રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી અને મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી
રથયાત્રામાં વિસ્તારના રહીશો અને માં અંબેના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે બહેનો અને યુવાનોએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી અને જય અંબેના નાદ સાથે રથયાત્રા યોજાઈ હતી મોટી સંખ્યામાં લોકોએ માતાજીના રથના દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી
જે રથયાત્રાને સફળ બનાવવા અંબિકા આશ્રમ મંદિરના કાર્યકર્તા દુલાભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દવે, ભરતભાઈ ભટ્ટ, હર્ષદભાઈ સોની, દિનેશભાઈ સોની, ગીરીશભાઈ સોની તેમજ ગૌરવ પાટડીયા, સમીર પાટડીયા અને નિકુંજભાઈ પટ્ટણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી
મોરબીના નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ નારાયણભાઈ મિયાત્રા (ઉ.વ.૪૩) નામના યુવકે પંચાસર ગામે મેલડી માતાજીના મંદિર પાસે કોઈ કારણસર ઝેરી દવા પી જતા રાજેશભાઈને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી...
મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટની સામેથી વેપારી યવકની સ્વીફ્ટ કાર એક શખ્સ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રાધાપાર્ક શ્યામ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર -૩૦૧મા રહેતા કરણભાઈ અનિલભાઈ બારડ (ઉ.વ.૨૬) એ આરોપી...