મોરબીમાં તા.30 માર્ચે રામજન્મોત્સવ નિમિત્તે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે
મોરબી: સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજિત રામ જન્મોત્સવ તા. 30-03 -2023 ના રોજ શ્રી રામ ભગવાનની પ્રતિમા સાથે રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રામાં રામ ભગવાનની ને બજરંગ બલીની પ્રતિમા આપણે બનાવવા દીધી છે. જેનું કામ અત્યારે નવલખી બાયપાસ આરટીઓની બાજુમાં કલામંદિરરમા ચાલી રહ્યું છે. શ્રીરામ ભગવાનની પ્રતિમાને શોભાયાત્રામાં મોરબીના રાજમાર્ગો ઉપર ઉષાભેર ફેરવવામાં આવશે અને એ મૂર્તિ આપણા કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં લઈ જઈ શકશે.