મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલી ૧.૧૯ કરોડ ની દિલધડક લુંટ કેસમાં ત્રણ આરોપી ની ધરપકડ કરી ૭૯.૭૪લાખની રોકડ રકમ કબજે કરી હતી બાદ આજ વધુ બે આરોપીની ધડપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી
૩૧ માર્ચ નાં વહેલી સવારે રાજકોટ થી આવેલા આંગડિયા પેઢીના રૂપિયા ૧.૧૯ કરોડ નાં પાર્સલ ની લૂંટ ચલાવીને બુકાનીધારીઓ નાસી છૂટયા હતા જે અંગે પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં જ ગણતરીના દિવસોમાં જ આ દિલધડક લૂંટનો ભેદ ઉકેલાયો ગયો હતો જેમાં મુખ્ય સૂત્રધાર રાજકોટની સોમનાથ ટ્રાવેલ્સના ડ્રાઇવર જાવેદ અલારખા ભાઈ ચૌહાણ નું નામ ખુલ્યું હતું બસ ચાલાક જાવેદે એ પોતાના સગા ભાઈ પરવેજ અલારખા ચૌહાણને લૂંટની ટીપ આપી હતી અને પંકજ કેશા ગરામંડીયાએ સાથે મળી સમગ્ર લુંટ નું આયોજન બનાવી રૂપિયા ૧.૧૯ કરોડ ની લુંટ નેં આખરી અંજામ આપ્યો હતો આથી પોલીસે મોહમ્મદ અલી પરવેઝ અલ્લારખા ચૌહાણ સવસી હકાભાઇ ગરામંડીયા અને સુરેશ મથુરભાઈ ગામંડીયાને ઝડપી રિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આ દરમિયાન આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા અને લુંટની ટીપ આપનાર અબ્દુલ કાદિર ઉફૈ જાહિદ અલ્લારખા ભાઈ અને ઇમરાન અલારખા ભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડયા હતા હજુ પંકજ કેશાભાઈ ગરાભડીયા પોલીસ પકડથી દૂર હોય તેને પકડવા પોલીસે તપાસનો દોર ચાલુ રાખેલ છે
મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં બેગલેસ ડે અંતર્ગત બાલમેળો તેમજ લાઈફ સ્કિલ પ્રવૃત્તિઓ કરવામાં આવી
મોરબી: વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે જીવન કૌશલ્યનો જ્ઞાન મળે,વિદ્યાર્થીઓ મનગમતી પ્રવૃત્તિઓ કરી શકે, વિદ્યાર્થીઓ રહેલી સુષુપ્ત શક્તિઓનું પ્રકટીકરણ થાય, વિદ્યાર્થીઓમાં ભણતરનો ભાર ઓછો થાય એ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક તાલીમ વોકેશનલ ટ્રેનિંગને મહત્વ આપવામાં આવ્યું...
મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સૌ પ્રથમ પ્રાર્થના સભા- બાલસભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ ગીતો, ભજનો, કવિતાઓ, જાણવા જેવુ વગેરે રજૂ કરેલ. ત્યારબાદ લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે શાળામાં બાલ સાંસદની રચના...
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ...