ગુજરાત સરકારે રાત્રે 11 વાગ્યે 2027 સુધીની નવી નીતિ જાહેર કરી.
અમદાવાદમાં નવરંગપુરા ખાતે પીએમ નરેન્દ્ર મોદીએ 11 માં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો હતો પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થયા બાદ રાત્રે 11 વાગ્યે રાજ્ય સરકારે આગામી 2027 માટેની નવી સ્પોર્ટસ નીતિ જાહેર કરી છે આ નવી નીતિમાં મહત્ત્વની જોગવાઈ કરેલ છે કે સ્પોર્ટસ ક્ષેત્રમાં જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ વિજેતા બને તો તેને સીધી સરકારી નોકરી આપવામાં આવશે આ માટે સરકારના જુદા જુદા વિભાગો દ્વારા વહેલી તકે નિયમો જાહેર કરાશે આ ઉપરાંત બઢતીમાં લાભ અપાશે સ્પોર્ટસના વિકાસ માટે ચાર નવા હાઇ પરફોર્મન્સ સેન્ટર તથા ૮ જેટલા સેન્ટર ઓફ એકસેલન્સ છાપવામાં આવશે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે થતા એશિયન ગેમ્સ સહિતની ગેમ્સમાં વિજેતા કે વિજેતા ખેલાડી ને રોકડ પુરસ્કાર અપાશે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...