કાર્યકર્તાઓના ઘડતર માટે છ સત્રોમાં વિવિધ વિષયો પર રાજયકક્ષાના હોદેદારો માર્ગદર્શન પુરૂ પાડ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્ર કે હિતમે શિક્ષા..શિક્ષા કે હિતમે શિક્ષક.. શિક્ષક કે હિતમે સમાજ ના ધ્યેય સૂત્ર સાથે શિસ્તબધ રીતે કાર્ય કરતું સંગઠન છે, સંગઠનમાં કાર્યરત કાર્યકરો,મંડળ સંયોજકોએ કેવી રીતે કાર્ય કરવું? એ માટે નવયુગ શૈક્ષણિક સંકુલ વિરપર મોરબી ખાતે પૂર્ણ દિવસના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ક્ષે સૌના શાબ્દિક સ્વાગત સાથે અભ્યાસ વર્ગની આચારસંહિતા વિશે વાત કરી ત્યારબાદ નવયુગ શૈક્ષણિક સંકુલના કર્તા ધરતા પી.ડી.કાંજીયાએ સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા અને અભ્યાસ વર્ગની જરૂરિયાત વિશે વાતો કરી હતી પ્રથમ સત્રમાં મિલનભાઈ પૈડાએ સંઘ પરિચય આપ્યો ત્યારબાદ રાજ્ય મહાસઘના મંત્રી રતુભાઈ ગોળે અભ્યાસ વર્ગનું મહત્વ અને કાર્યકરોની મનો ભૂમિકા વિશે ચર્ચા અને ચિંતન રજૂ કર્યું ત્યારબાદ સત્ર- ૩ માં મુળજીભાઈ ગઢવી પ્રચાર મંત્રી પ્રાંત ટિમ અને હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા સંગઠનની કાર્ય પદ્ધતિ અને સદસ્યતા પ્રવાસ વિષય રજૂ કર્યો,
કિશોરભાઈ શુક્લ સાર્થક વિદ્યાલયના સંચાલકે નવી શિક્ષણનીતિ શિક્ષણના પડકારો વિશે સત્ર લીધું હતું સત્ર પાંચમું અશોકભાઈ સતાસિયાએ
હોદેદારોની જવાબદારી સંગઠનના કાર્યકર્તાઓની અધિકારીઓ સાથેનો સરકાર સાથેનો વ્યવહાર અને દિનેશભાઈ વડસોલા અધ્યક્ષે પ્રચાર – પ્રસાર કેવી રીતે કરવો? વગેરે વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. સમારોપ સત્રમાં ડો.જયંતીભાઈ ભાડેસિયા સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્ર દ્વારા ઉપસ્થિત સૌ શિક્ષક કાર્યકરોને હાલની સમગ્ર દુનિયા અને દેશ વિશે જુદાં જુદાં ધર્મો વિશે, શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી,રતુભાઈ ગોળ મંત્રી રાજ્ય મહાસંઘ મુળજીભાઈ ગઢવી કચ્છ હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર પ્રાંત મહેશભાઈ બોપલીયા કાર્યવાક હસમુખભાઈ પટેલ પ્રચારકજી મોરબી જિલ્લો કિરણભાઈ કાચરોલા મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ તથા કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ કિરણબેન આદ્રોજા વગેરેએ જુદા જુદા સત્રોમાં અધ્યક્ષ પદ શોભવ્યું હતું.અંતમાં ડો.જ્યંતીભાઈ ભાડેસીયા દ્વારા માયાબેન ડાંગર મહિલા અધ્યક્ષ માળીયા, રસીકભાઈ ભાગીયા ટંકારા તાલુકા ઉપાધ્યક્ષ, રોહિતભાઈ ચીકાણી કાર્યકારી અધ્યક્ષ, હીમાંશુભાઈ સરવૈયા પ્રચાર મંત્રી ટંકારા, ધીરજલાલ જાકાસણીયા,મેહુલભાઈ જાકાસણીયા,રણજીતભાઈ કટેસિયાને કારોબારી સભ્ય મોરબી તરીકે ઘોષણા કરી હતી.
બિલાસપુર થી પત્રકાર સુરક્ષા કાનૂન માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત કરવામાં આવી
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું સાતમું રાષ્ટ્રીય અધિવેશન સંપન્ન : વીસ થી વધુ રાજ્યોના 800 જેટલા પત્રકારોની ઉપસ્થિતિ
ગાંધીનગર : દેશનાં સૌથી મોટા રજિસ્ટર્ડ પત્રકાર સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નું છતીસગઢ ની ન્યાયધાની બિલાસપુર માં સાતમું રાષ્ટ્રીય...
અત્યાર સુધી ના ૫૦ કેમ્પમાં કુલ ૧૪૦૯૮ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ- મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે...