મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામે ધૂળેટીના પાવન પર્વે એક દિવ્યાંગ વ્યક્તિના જીવનમાં રંગોરૂપી આશા પ્રગટે અને સમાજમાં તેના માટે ભાવ થાય અને પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે હેતુથી લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા ગરીબ પરિવારના આ દિવ્યાંગ વ્યકિતને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઇન્ટરનેશલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા ખજાનચી લા. ટી સી ફૂલતરિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. મહાદેવભાઇ ચીખલીયા તેમજ ગ્રામજનોની હાજરીમાં સાયકલ અર્પણ કરવામાં આવી હતી અને આમ ધૂળેટી પર્વની ઉજવણી દિવ્યાંગ ભાઈને સાયકલ આપી સાર્થક કરવામાં આવી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...