મોરબી: વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે ત્યારે દરેક પક્ષ પોતાની પાર્ટીને જીતવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હળવદ શહેરમાં આવેલ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કાર્યાલય ખાતે હળવદ નગરપાલિકાના ભાજપના સદસ્ય તેમજ આમ આદમી પાર્ટીના આગેવાનો અને બહુજન સમાજ પાર્ટીના આગેવાનો સહિત કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા.
વિધાનસભાની ચુંટણીનો પ્રચાર અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે હળવદ ભાજપમાં કોંગ્રેસ દ્વારા વધુ એક વખત ભંગાણ પાડવામાં આવ્યું છે આજે હળવદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ તેમજ આગાઉ ઉપ પ્રમુખની જવાબદારી સંભાળી ચુકેલ તથા હંમેશા સામાજીક કાર્યોમા આગળ રહેતા અને યુવા આગેવાન જયેશભાઇ પટેલ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જયેશ પટેલ દ્વારા ઘણા લોકોના કામો કરેલ હમેશા લોકોની વચ્ચે રહીને કાર્ય કરેલ છતા પણ ભાજપમાં અવગણના થતી હોવાથી તેમને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. જયેશભાઇ એ જણાવ્યું હતું કે વ્યક્તિએ સેન્સ પણ ન આપી હોય તેવા પેરાશૂટ ઉમેદવારને અહીં મૂકવામાં આવ્યા છે જેથી તેઓને આ વિસ્તારના કેટલા ગામડાઓ છે તે પણ ખબર નથી.? સાથે જ જો બહારથી જ ઉમેદવારો મૂકવામાં આવે તો અમારા જેવા અનેક કાર્યકર્તાઓને માત્ર ખુરશીઓ જ સાફ કરવાની પાથરણા જ પાથરવાના આવા અનેક સવાલો ઉઠાવ્યા હતા.
જયેશ પટેલની સાથે બહુજન સમાજ પાર્ટીમાંથી ઇશ્વરભાઇ પરમાર, ડાયાભાઇ, એન.ડી. સોલકી સહીત આગેવાનો અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી સંગઠન મંત્રી રમેશભાઈ, મોહનભાઇ સહિત કાર્યકર્તાઓએ કોંગ્રેસનો કેસ પહેર્યો હતો તેમજ ડુંગરપુરના ઉપસરપંચ કાળુભાઈ,શક્તિસિંહ રાજપુત, નાનજીભાઈ ઠાકોર,ધીરૂભાઇ, ધનજીભાઈ, નિલેશભાઈ, મહિપતભાઈ, સહિતનાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા,જ્યારે કિસાન ક્રાંતિ ટ્રસ્ટના કનુભાઈ રાજપુત પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને ઉમેદવાર પપ્પુભાઈ ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણા,શહેર પ્રમુખ શૈલેષભાઈ દવે, હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ મુન્નાભાઈ પંચોલી, વિપક્ષ નેતા દિનેશભાઈ મકવાણા, મહિપાલ સિંહ રાણા, ગોપાલભાઈ ભરવાડ , હિમાંશુ મહેતા , અશોકભાઈ અઘારા, કિશનભાઇ પોરડીયા સહિત કોંગ્રેસના આગેવાનોએ આવકાર્યા હતા.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...
હાલમાં નેપાળ કાઠમંડુ દેશમાં થયેલ તોફાનો અને અરાજકતાની પરિસ્થિતને ધ્યાનમાં લઇ મોરબી જિલ્લાના કોઈ નાગરિકો નેપાળ દેશના પ્રવાસે હોય તો તે અંગેની જાણ તેઓના સ્વજનો દ્વારા મોરબી જિલ્લા વહિવટી તંત્રએ હેલ્પલાઇન નંબર પર કરવા વિનંતી છે. ઉપરાંત કાઠમંડુ ખાતે રહેલ કે ફસાયેલ કોઈ ભારત કે પ્રવાસી નાગરિકો સંપર્કમાં હોય...
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની...