મોરબી: આજે મોરબી જીલ્લા ઉમિયા પરિવાર દ્વારા ૨૫મો સમુહલગ્ન મહોત્સવ યોજાયો હતો જેમાં ઉમા કળશ યોજના વિશે માહિતી આપી અને આ યોજનામાં જોડાવા માટે પાટીદાર સમાજને અનુરોધ કરવામાં આવ્યો હતો.
સમાજ ઉત્કર્ષના ભગીરથ કાર્ય માટે માઁ ઉમિયાના ચરણોમાં ‘તારુ તુજને અર્પણ’ના ભાવ સાથે માઁ ઉમા કળશ યોજના અંતર્ગત માઁ પધાર્યા મરે ઘેર’ના ભાવ સાથે આપણા ઘેર કળશનું સ્થાપન કરાશે. સ્થાપિત કળશમાં પરિવારના દરેક સભ્ય દીઠ દૈનિક ઓછામાં ઓછા એક રૂપિયાથી લઇ યથાશકિત રકમનું યોગદાન આપવાનું રહેશે. કળશની રકમ દર ૬/૧૨ મહીને રૂ. ૩૬૫/-ની પ્રિન્ટેડ પાકી પહોંચ આપી એકત્રિત કરવામાં આવશે. આ રકમ ઓનલાઈન બેંકમાં પણ જમા કરાવી શકાશે.
કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. ‘ટીપે ટીપે સરોવર ભરાય’ એ જ રીતે સૌ પાટીદાર પરિવારો એક થઈને એકતા અને અખંડિતતાના ઉદાહરણરૂપ માઁ ઉમા કળશ યોજનામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે ઉમા કળશ યોજનાની રકમ સમાજના ઉત્કર્ષ માટેના વિવિધ પ્રોજેક્ટ- યોજનામાં વપરાશે. મંદિર સંસ્થાનું બેંક બેલેન્સ વધારવાનો હેતુ નથી. તથા પ્રતિવર્ષ આવક – જાવકની વિગત પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉમા કળશ યોજના થકી આપવામાં આવેલ આપનું અનુદાન કોઈ વિધવાના આંસુ લૂછવામાં મદદરૂપ થશે, કોઈ નિરાધારનું ભોજન બનશે, કોઈ વિદ્યાર્થીને વિદ્યાદાન મળશે, કોઈ જરૂરિયાતમંદ દર્દીની સારવાર બનશે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરશે.
તેમજ કળશ યોજના નિધિનો ઉપયોગ આરોગ્ય સહાય, આરોગ્ય પ્રવૃત્તિઓ, શિક્ષણ સહાય, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિધવા, ત્યકતા, નિરાધાર, અનાથને સહાય, વૃક્ષ ઉછેર, જળસંચય, સ્વચ્છતા જેવા પર્યાવરણ કાર્યક્રમો, કૃષિ માર્ગદર્શન શિબિર, કૃષિકાર કલ્યાણ પ્રવૃત્તિઓ, યુવા પ્રવૃત્તિઓ, રોજગાર માર્ગદર્શન, વ્યસનમુક્તિ, મહિલા સશક્તિકરણ, મહિલા સંગઠન વિગેરે સામાજિક કાર્યક્રમો સેવા પ્રકલ્પો માટે જ વપરાશે.
જ્યારે કળશ યોજનામાં જોડાનારા પરિવારને UK Card (ઉમાં કળશ કાર્ડ) આપવામાં આવશે. આ કાર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ વસ્તુઓની ખરીદીમાં વિશેષ વળતરનો લાભ મળી શકશે.
ભારતીય સંસ્કૃતિ એ મહાન સંસ્કૃતિ છે, આ ભારત ભુમિ પર રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષોએ જન્મ ધારણ કર્યા છે, તેથી આ ભૂમિ પાવન બની છે, પવિત્ર બની છે, ભારતની આ પાવન ભૂમિ પર યુગોથી કથાઓ થતી આવી છે, કથામાં તત્વ અને અમૃત એવું રહેલું છે રોજ રોજ આ...
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...